ગુજરાત માટે ગૌરવની વાત: રાજ્યના આ શહેરમાં શરુ થશે કોવેક્સિન રસીનું ઉત્પાદન, કેન્દ્ર સરકારે આપી લીલી ઝંડી 

ગુજરાત રાજ્ય માટે મોટા સમાચાર સામે આવ્યા છે અને એ પણ ખુશીના. ભારત સરકારે ભરૂચ પાસે આવેલ અંકલેશ્વરમાં રસી ઉત્પાદન માટે મંજૂરી આપી દીધી છે.…

ગુજરાત રાજ્ય માટે મોટા સમાચાર સામે આવ્યા છે અને એ પણ ખુશીના. ભારત સરકારે ભરૂચ પાસે આવેલ અંકલેશ્વરમાં રસી ઉત્પાદન માટે મંજૂરી આપી દીધી છે. દેશની પ્રખ્યાત કંપની ભારત બાયોટેકની કોરોના વિરોધની રસી કોવેક્સિનનું ઉત્પાદન અંકલેશ્વરમાં કરવામાં આવશે. આ બાબત અંગેની જાણકારી કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. દેશમાં કોરોનાની બીજી લહેરનો પણ ધીમે ધીમે અંત આવી રહ્યો છે. જયારે બીજી બાજુ કોરોનાની રસીને લઈને પણ લોકો ખુબ જ જાગૃત થઇ ચુક્યા છે.

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં કોરોનાના 40 હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 હજાર કેસો સામે આવ્યા છે. જેની સામે 373 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. જયારે 41 હજાર લોકો કોરોનાથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા.

સમગ્ર ભારતમાં હાલ મોટાપાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે હેઠળ 50 કરોડથી વધુ રસીના ડોઝ આપવામા આવી ચૂક્યા છે. વિદેશી વેક્સિનની મંજૂરી વચ્ચે ભારતીય રસી કોવેક્સિનના ડોઝનું પ્રોડક્શન વધારવાના પ્રયાસ પણ ચાલી રહ્યાં છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે, હવે ભારત બાયોટેકની કોવેક્સિન રસીનું પ્રોડક્શન ગુજરાતના અંકલેશ્વરમાં પણ થશે.

કેન્દ્ર સરકારે પહેલા જણાવ્યું હતું કે, કોવિશિલ્ડ રસીના ડોઝનું પ્રોડક્શન વધારી મહિને 12 કરોડથી વધુ રસીના ડોઝ કરવાનો ધ્યેય છે. જ્યારે કોવેક્સિનનું પ્રોડક્શન 2.5 કરોડથી વધારી 5.8 કરોડથી વધુ ડોઝ દર મહિને કરવાનો ધ્યેય છે. ભારત બાયોટેકની કોવેક્સિન રસી સિમ્પોટોમેટિક કોરોના મામલે 77.8 ટકા અસરકારક છે. જ્યારે ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ તે 65.2 ટકા જેટલી અસરકારક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *