પતી ઘરમાં પાણીપુરી લાવ્યો તો, પત્નીએ એકના એક દીકરાને નોંધારો મૂકી કરી લીધો આપઘાત

સમગ્ર દેશમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં આવો જ એક ખુબ ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં આવેલ પુણેમાં એક…

સમગ્ર દેશમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં આવો જ એક ખુબ ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં આવેલ પુણેમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં પતિએ ગોલગપ્પા ખાવાથી ગુસ્સે થયેલ પત્નીએ ઝેર પી લીધું હતું.

આ તેના મૃત્યુનું કારણ બન્યું હતું. ઘટના પછી પોલીસે પતિની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલ સિનિયર ઇન્સ્પેક્ટર જગન્નાથ કલસકર જણાવે છે કે, પ્રતિક્ષા સરવડે પુણેના અંબેગાંવ પઠારમાં રહેતી હતી. વર્ષ 2019 માં તેના લગ્ન ગહિનાથની સાથે થયા હતા.

તેણીને 18 મહિનાનું બાળક પણ હતું. પ્રતિક્ષા તથા તેના ગહીનાથની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. આવા જ એક ઝઘડા વખતે પ્રતિક્ષાએ તેના પતિને કહ્યું કે, જો તે ક્યારેય ગોલગપ્પા ખાય તો પ્રતિક્ષા ઝેર ખાશે. કંઈક આવું જ થયું હતું.

પતિ પત્ની માટે પાણીપુરી લાવ્યો હતો:
શુક્રવારે બજારમાંથી ઘરે પરત ફરતી વખતે, ગહિનાથે પત્ની માટે પાણીપુરી લાવ્યો હતો. ઘરે પહોંચતાની સાથે જ પ્રતિક્ષાને ગહિનાથના હાથમાં પાણીપુરી જોઈને ગુસ્સો આવ્યો. બંને વચ્ચે ઝઘડો લાંબા સમય સુધી ચાલતો રહ્યો. બીજા જ દિવસે, શનિવારે પ્રતિક્ષાએ ઝેર પી લીધું.

પાડોશીની સાથે ગહિનાથ હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં એક દિવસ સુધી ચાલેલી સારવાર બાદ રવિવારે પત્નીનું અવસાન થયું હતું. સોમવારે મહિલાના પિતાએ તેના પતિ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો હતો તેમજ ગહિનાથની પોલીસ દ્વારા થોડા જ સમયમાં ધરપકડ કરી લેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *