ભારત-ચીન વચ્ચે તણાવના માહોલ વચ્ચે રાહુલ ગાંધી એ કરી એવી ટવીટ કે…

ભારત-ચીન (India-China) વચ્ચે લદાખ (Ladakh)  સરહદે ખુબ તણાવ  હોવા છતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટોણો મારવાની એક પણ તક છોડતા નથી.

કોંગ્રેસ (Congress)ના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘પ્રધાનમંત્રી કેમ ચૂપ છે? તેઓ છૂપાયેલા કેમ છે? હવે બહુ થઈ ગયું, આપણે એ જાણવાની જરૂર છે કે શું થયું છે.’ કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ‘આપણા સૈનિકોની હત્યા કરવાની ચીનની હિંમત કેવી રીતે થઈ? આપણી જમીન પર કબજો જમાવવાની તેમની હિંમત કેવી રીતે થઈ?’ નોંધનીય છે કે લદાખની ગલવાન ખીણમાં સોમવારે રાતે ચીની સૈનિકો સાથે થયેલી હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા. સેનાએ આ વાતની જાણકારી મંગળવારે આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *