જળ સંચયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે નર્મદા નદિના કિનારે આવેલ તપોવન આશ્રમ- ખાસ વાંચવા જેવો છે આ લેખ

‘જળ એ જ જીવન છે’ આ કહેવત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ પણ ખરા અર્થમાં જીવનને કેવી રીતે બચાવી શકાય એનું ઉત્તમ ઉદાહરણ તપોવન આશ્રમે…

‘જળ એ જ જીવન છે’ આ કહેવત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ પણ ખરા અર્થમાં જીવનને કેવી રીતે બચાવી શકાય એનું ઉત્તમ ઉદાહરણ તપોવન આશ્રમે પૂરું પાડ્યું છે. લોકો પણ આ રીતે પોતાના ઘરમાં નાના ટાંકા બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરી અમુલ્ય જળને બચાવવા માટે સહભાગી બને એ ખુબ જરૂરી છે.

આજે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ જળ દિન’ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એક જાણકારી સામે આવી છે. નર્મદા નદીનાં કાંઠે આવેલ તપોવન આશ્રમમાં વરસાદી પાણીના સંગ્રહનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું છે. વરસાદી પાણીનો સંગ્રહ થાય એની માટે 1.25 લાખ લીટર પાણીની સ્ટોરેજ કેપેસીટી ધરાવતો ભૂગર્ભ ટાંકો બનાવવામાં આવ્યો છે.

જેનાથી સંપૂર્ણ વર્ષ દરમિયાન પાણીનો ઉપયોગ કરી શકાય છે. નર્મદાના નીરના ઓછા પ્રવાહને લીધે સમુદ્ર સીમાડા ઓળંગીને નદીમાં પ્રવેશ્યો હતો તેમજ નદીનું મીઠું જળ ખારું થઇ ગયું હતું. અહીં આવેલ તપોવન આશ્રમમાં વરસાદી પાણી સંચયનો અભિગમ સમગ્ર રાજ્ય માટે ઉત્તમ ઉદાહરણરૂપ બન્યું છે.

તપોવન આશ્રમમાં સંપૂર્ણ વર્ષ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખુબ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે. કુલ 12 ફૂટ ઊંડો, 21 ફૂટ લાંબો તથા 18.5 ફૂટ પહોળો ખાડો ખોદીને સવા લાખ લીટર પાણીનો સંગ્રહ થઇ શકે એવો ટાંકો ઉતારવામાં આવ્યો હતો.

આ આશ્રમમાં આવેલ 5 બોરના પાણી પણ ખારા થઇ ગયા હતા. નર્મદા નદીના કાંઠે આવેલ હોવા છતાં આશ્રમ માટે વેચાતું પાણી મંગાવવાનો વારો આવ્યો હતો. આવા સમયે આશ્રમના સંચાલકોને ભૂગર્ભ જળ સંચયનો વિચાર આવ્યો હતો તથા આ પરિકલ્પનાને સાકાર કરવા માટે કામગીરીની શરુઆત કરવામાં આવી હતી.

આશ્રમ સંચાલકો દ્વારા 12 ફૂટ ઊંડો, 21 ફૂટ લાંબો થતાં 18.5 ફૂટ પહોળો ખાડો ખોદીને અંદર સવાલાખ લીટર પાણીનો સંગ્રહ થઇ શકે એવો ટાંકો ઉતારવામાં આવ્યો હતો. આશ્રમમાં આવેલ અનેકવિધ ટાંકીનું પાણી બોરમાં ઉતારીને બોર રીચાર્જ કરવામાં આવે છે

ચોમાસાના 4 મહિના આકાશમાંથી વરસતી મેઘની મહેરરૂપી પાણી આ ટાંકામાં સંગ્રહ કરવામાં આવે છે. સંપૂર્ણ વર્ષ દરમિયાન આ જ પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. આશ્રમ સંચાલકો દ્વારા આની સાથે જ ખારા થયેલ બોરના પાણીને મીઠા કરવાની પણ કામગીરી કરવામાં આવે છે.

ખારા પાણીને લીધે આશ્રમના વૃક્ષ સુકાઈ જતાં ભૂગર્ભ જળ સંચયનો અભિગમ કારગત નીવડ્યો હતો. ખારા પાણીને લીધે આશ્રમમાં રોપવામાં આવેલ વૃક્ષ પણ સુકાઈ ગયા હતા ત્યારે ભૂગર્ભ જળ સંચયનો અભિગમ કારગત નીવડ્યો છે તેમજ આશ્રમ પહેલાની માફક જ લહેરાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *