લગ્નના પાંચ મહિના બાદ પતિ-પત્ની વચ્ચે ઝગડો થતા બીજા દિવસે ઘરે પહોંચી લાશ- જાણો ક્યાંની છે હિચકારી ઘટના

રાજકોટ(ગુજરાત): વધુ એક આપઘાતનો બનાવ રાજકોટ શહેરમાંથી જોવા મળ્યો છે. પરણિત પુરુષે મવડીથી કણકોટ તરફ જવાના રસ્તા પર નવા બનતા ટાંકામાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરુ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પરણીત પુરુષનો પોતાની પત્ની સાથે ઝઘડો થતા પતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે મૃતકના પરિવારજનોના તેમજ પડોશીઓના નિવેદન લેવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં આત્મહત્યાના બનાવ સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાસે સરસ્વતી નગરમાં રહેતા પંકજ ભૈયાજી નામના 22 વર્ષનો વ્યક્તિએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. મળતી માહિતી અનુસાર, 5 મહિલા પહેલા જ મૃતક પંકજ ભૈયાજીના પ્રિયંકા દેવી સાથે લગ્ન થયા હતા. શુક્રવારના રોજ સાંજે પત્ની સાથે ઝઘડો થતાં પંકજ બાઇક લઇને કણકોટ તરફ નીકળી ગયો હતો. ત્યારબાદ કણકોટ નજીક પાણીના ટાકા પાસે તેને આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું હતું.

વ્યક્તિને 108ની ટીમે મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ તાલુકા પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે પીએમ રૂમમાં મોકલવામાં આવી હતી.

નોંધનીય છે કે, શુક્રવારે સુરેન્દ્રનગરમાં 48 વર્ષના ટ્યુશન ક્લાસિસના સંચાલક અને ક્લાસિસમાં અભ્યાસ કરવા માટે આવતી 19 વર્ષની વિદ્યાર્થિનીએ સજોડે આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, બંને એકબીજાના પ્રેમમાં હતા. ટ્યુશન સંચાલકને પ્રેમિકાની ઉંમરનો એક પુત્ર હતો જેથી તેમના લગ્ન થઈ શકે તેમ ન હોવાથી બંનેએ આપઘાત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *