રાજકોટ નજીક સર્જાયેલ કરુણાતીંકામાં કરુણ મોત- બે દીકરાઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ગુજરાત: રાજકોટ જિલ્લા (Rajkot district) ના પડધરી તાલુકામાં આવેલ સરપદડ નજીક કાર (The car) પૂલ સાથે અથડાતા કારમાં સવાર રાજકોટના યુવાન (Young men) અશોકભાઇ (Ashokbhai) નું મોત થયું હતું. જેને લીધે એકસાથે બે દીકરાઓએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. જ્યારે તેના મિત્રને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

કાર મિત્ર જ ચલાવતો હતો:
ઘટનાને વિગતે જોઈએ તો, પડધરીમાં આવેલ સરપદડ ગામ નજીક ખંભાળા રોડ પર પૂલ સાથે કાર નં. GJ-06-LB-9301 અથડાતા કારમાં સવાર રાજકોટમાં આવેલ ગાંધીગ્રામ વિસ્તારમાં ન્યૂ મહાવીરનગર શેરી નં. 3માં રહેતા અશોકભાઈ દયાળજીભાઈ દસાડીયાનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.

જ્યારે કાર ચાલકનાં મિત્ર કલ્પેશભાઈ મનસુખભાઈ જોગડીયાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ પડધરી પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો તેમજ આગળની તપાસ ખરું કરી દેવાઈ છે.

મૃતકને સંતાનમાં 2 દીકરા તેમજ 4 ભાઈઓમાં મોટા હતા. દીકરાઓએ પિતાની છત્રછાંયા ગુમાવતા સમગ્ર પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. મૃતક અશોકભાઈ ગાંધીગ્રામ વિસ્તારમાં મોર્ડન હેર આર્ટ નામે દુકાન ધરાવી રહ્યા છે. આ ઘટના અંગે મૃતકના ભાઈ મનોજભાઈએ કારચાલક કલ્પેશભાઈ જોગડીયા વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પડધરીના PSI એ.એ. ખોખરે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *