મોટા સમાચાર: તહેવારોની ઉજવણીને લઈને રૂપાણી સરકાર લઇ શકે છે આ મોટો નિર્ણય- જાણો જલ્દી

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

ત્યારે હવે ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને લીધે રાજ્ય સરકાર એકશનમાં આવી શકે છે અને કેટલીય મહત્વની ગાઈડલાઈન્સ બહાર પડી શકે છે. શ્રાવણ મહિનામાં તહેવારોની સિઝન શરુ થતી હોય છે જેને પગલે તંત્ર એકશનમાં આવ્યું છે. નોંધનીય છે કે હાલ શહેર અને રાજ્યમા કોરોના સંક્રમણ ઓછું ફેલાઈ રહ્યું છે અને કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે પરતું હજુ પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને હવે અગાઉથી જ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં તહેવારોની સિઝનને લઈ સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરી શકે છે તેવુ શક્યતાઓ સેવાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાના સંક્રમણમાં અને કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા કોરોનાના નિયમોમાં અને રાત્રિ કરફ્યુમાં થોડી રાહત આપી છે. પરંતુ તેમ છતાં પણ જોતા લાગી રહ્યું છે કે શ્રાવણ મહિનામાં તહેવારોને લઈને સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરી શકે છે અને ધાર્મિક મેળાવડાઓ યોજવા ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવી શકે છે, જેને લઈને સરકાર વિચારણા કરશે અને આગામી સમયમાં મહત્વ પૂર્ણ નિર્ણયો લેશે. સાથે જણાવી દઈએ કે, રાજ્ય સરકાર મોટા તીર્થધામમાં આરતીમાં દર્શનાર્થીઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકી શકે છે.

ત્યારે સરકાર આગામી સમયમાં એવો પણ નિર્ણય લઇ શકે છે કે, સોમનાથ, દ્વારકા, ડાકોર, જેવા મંદિરમાં ટોકન પદ્ધતિથી પ્રવેશ મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમનો મેળો યોજાતો હોય છે ત્યારે સરકાર તેમના પર પણ પ્રતિબંધ લગાવી શકે છે. આગામી સમયમાં મંદિરમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તે માટે રાજ્ય સરકાર ટુંક સમયમાં નવી ગાઈડલાઈન રજૂ કરી શકે છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *