પાટીદાર સમાજમાં છવાયો માતમ- મુંબઈમાં રહેતા જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિને મળ્યું ધ્રુજાવી દેતું મોત

Savji Gokar Manjeri Murder: હાલમાં જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો મૂળ રાપર(Rapar)ના રહેવાસી અને હાલ નવી મુંબઈ(Mumbai) ખાતે…

Savji Gokar Manjeri Murder: હાલમાં જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો મૂળ રાપર(Rapar)ના રહેવાસી અને હાલ નવી મુંબઈ(Mumbai) ખાતે રહેતા 65 વર્ષીય સવજી ગોકર મંજેરી(Savji Gokar Manjeri)ની ગઈકાલે સાંજે ગોળી મારી ઘાટકી હત્યા કરતા મુંબઈ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલમાં આ મામલે મુંબઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, પાટીદાર ઉદ્યોગપતિની આવી રીતે મુંબઈમાં દર્દનાક હત્યા થતા પાટીદાર સમાજમાં ફફડાટ મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ, મૂળ કચ્છના રાપલ તાલુકાના સાંય ગામના રહેવાસી અને હાલ મુંબઈના નેરૂલ ખાતે રહેતા જાણીતા બિલ્ડર સવજી ગોકર મંજેરી ગઈકાલે સાંજે 5.30 થી 6.00 વાગ્યાની આજુબાજુ નેરુલ સેકટર છ અપના બજાર પાસેથી કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન એક મોટરસાયકલ પર આવેલા બે શખ્સોએ તેમની કાર રોકી હતી.

બિલ્ડર કઈ બોલે એ પહેલા જ મોટર સાયકલ પર આવેલા બંને શખ્સોએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેના લીધે તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર ઘટના બાદ મુંબઈ પોલીસ દોડતી થઈ ગઈ છે. દર્દના હત્યા જમીનની લેવડદેવડ મિલકત કે અન્ય નાણાકીય લેવડદેવડના કારણે થઈ હોવાનું મુંબઈ પોલીસ નું અનુમાન છે.

મહત્વનું છે કે મૃતક સવજીભાઈ મંજેરી મુંબઈના જાણીતા બિલ્ડર હતા. જેવો વસતા અને ઇમ્પીરિયા ગ્રુપ સાથે સંકળાયેલા હતા. સવજીભાઈ મંજેરીનું મોત થતા પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *