જુઓ તો ખરા સુરતના આ પ્રાણીસંગ્રહાલયની આવી ખરાબ હાલત…

80 એકરમાં ફેલાયેલું પાલિકાનું સરથાણા નેચરપાર્ક હવે ઘણા ભાગમાં નેચરપાર્કને બદલે કચરાપાર્ક બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. cac5250702ba404ae7241216377c26dd નેચરપાર્કની એન્ટ્રીથી થોડા આગળ જઈએ…

80 એકરમાં ફેલાયેલું પાલિકાનું સરથાણા નેચરપાર્ક હવે ઘણા ભાગમાં નેચરપાર્કને બદલે કચરાપાર્ક બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.

નેચરપાર્કની એન્ટ્રીથી થોડા આગળ જઈએ તો ત્યાં હંસ, બતક જેવા પક્ષીઓ માટે તળાવ બનાવ્યું છે. તળાવ બહુ ઉંડુ પણ નથી પરંતુ તળાવની હાલત અવવારુ કૂવા જેવી થઈ ચૂકી છે.

તળાવને જોતા જ સમજી શકાય તેમ છે કે, ખૂબ લાંબા સમયથી તળાવની સફાઈ તો થઈ જ નથી. તળાવમાં લીલ, વેલ, માટી, કાદવ, કચરો એટલી હદે ઢગલો થઈ ચૂક્યો છે કે, તળાવમાં પાણી તો બે ચાર ખાબોચિયા સિવાય દૂર દૂર સુધી ક્યાંય નજરે પડી શકતું નથી.

પક્ષીઓ પણ હવે ખૂબ જૂજ રહ્યાં છે. હવે જોવાનું એ રહ્યું છે કે, નેચરપાર્કની આવી ખસ્તા હાલતને સુધારવા માટે પાલિકાનું તંત્ર ક્યારે સુસ્તી ઉડાડીને દૂરસ્ત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *