ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કૈલાશચંદ્ર જોશીનું અવસાન

ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કૈલાશચંદ્ર જોશીનું નિધન થયું છે. જોશી મધ્યપ્રદેશના પહેલા બિન-કોંગ્રેસ મુખ્યમંત્રી છે. તેઓ 1977 માં મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન…

ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કૈલાશચંદ્ર જોશીનું નિધન થયું છે. જોશી મધ્યપ્રદેશના પહેલા બિન-કોંગ્રેસ મુખ્યમંત્રી છે. તેઓ 1977 માં મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા.

કૈલાસ જોશીની રાજકીય સફર:

કૈલાસ જોશીનો જન્મ 14 જુલાઈ, 1929 ના રોજ થયો હતો. ભારતીય જન સંઘથી રાજકારણ શરૂ કર્યું ત્યારથી 1962 થી, જોશી સતત બગલી ક્ષેત્રના ધારાસભ્ય બન્યા. કટોકટી દરમિયાન (1975-77), એક મહિના ભૂગર્ભમાં રહ્યા પછી 28 જુલાઈ 1975 ના રોજ તેમને એસેમ્બલી ગેટ પરથી ધરપકડ કરવામાં આવી.

24 જૂન 1977 ના રોજ, કૈલાસ જોશી મધ્યપ્રદેશના પ્રથમ બિન-કોંગ્રેસ મુખ્ય પ્રધાન બન્યા. જોકે, તેમણે માંદગી હોવાને કારણે 1978 માં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

કૈલાશ ચંદ્ર જોશીને 21 ઓગસ્ટના રોજ અચાનક સ્વાસ્થ્ય ખરાબ થવાના કારણે રાજધાની ભોપાલ નેશનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમને શ્વાસ લેવામાં તકલીફ તકલીફ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *