28 વર્ષીય પરણિતાનું માર્ગ અકસ્માતમાં મોત- સાત વર્ષીય દીકરાએ નાની ઉંમરે ગુમાવી માતાની છત્રછાયા

આજકાલ નવસારી(Navasari) શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી અકસ્માત(Accident)ની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. જયારે અકસ્માતમાં મોટા ભાગનાં બાઇક ચાલક અને રાહદારીઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. જયારે ફરી એકવાર આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના નવસારીના એરું ઈટાળવા રોડ પર બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર સવારનાં ટાઈમે નોકરી પર જઈ રહેલી એક 28 વર્ષીય મહિલાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં સાત વર્ષીય પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી હતી.

મળતી માહિતી અનુસાર 28 વર્ષીય ક્રિષ્ના અશ્વિન પટેલ જ્વેલરીની કંપનીમાં નોકરી પર જવા માટે વહેલી સવારે પોતાના ગામ સામાપુરથી નીકળ્યા હતા. આ દરમિયાન કાળ બનીને આવી રહેલા શેરડીના એક ટ્રક ચાલકે અંદાજીત સાડા આઠ વાગ્યાની આજુબાજુ મહિલાની ગાડીને અડફેટે લીધી હતી. ટ્રકની અડફેટે આવતા મહિલા રોડ પર તેની ગાડી સાથે ફગોળાઇ ગઈ હતી જેના કારણે માથાનાં ભાગમાં ગંભીર રીતે ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર મૃતક 28 વર્ષીય મહિલાનાં પતિ અશ્વિન પટેલ વેલ્ડીંગનું કામ કરે છે. મહિલાના મૃત્યુથી પરિવારમાં માતમ છવાયો છે. જયારે ટ્રક ચાલક વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના મામલે જલાલપોર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *