બોજ સમજી વારંવાર ગર્ભપાત કરાવતો હતો પરિવાર, ઝઘડો થતા પતિએ જ આપ્યું દર્દનાક મોત

એક પતિએ દસ્તો મારી મારીને પોતાની જ પત્નીની હત્યા કરી નાખી છે. મૃતક મહિલાના સંબંધીઓનો આરોપ છે કે તેમની દીકરીને લોકો બોજ માની ટોણા મારતા…

એક પતિએ દસ્તો મારી મારીને પોતાની જ પત્નીની હત્યા કરી નાખી છે. મૃતક મહિલાના સંબંધીઓનો આરોપ છે કે તેમની દીકરીને લોકો બોજ માની ટોણા મારતા હતા અને બીજી તરફ તેનો પતિ વારંવાર તેનો ગર્ભપાત કરાવતો હતો. આ તકરારના કારણે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.

વાસ્તવમાં, સેરામાઉ દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારના ચૌહાનાપુર ગામમાં એક વ્યક્તિ હરિકાંત ત્રિપાઠીએ તેની પત્ની પિંકી ત્રિપાઠીને દસ્તો મારી મોતને ઘાટ ઉતારી હતી. મૃતક મહિલાના પરિવારજનોનો આરોપ છે કે, તેમની પુત્રીને લોકો બોજ માની ટોણા મારતા હતા જ્યારે તેનો પતિ તેનો ગર્ભપાત કરાવતો હતો. આ કારણે બંને વચ્ચે ઝઘડો થયો અને ઝઘડો વધી જતાં પતિએ તેની હત્યા કરી નાખી.

આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક એસ. આનંદ જણાવે છે કે, એવી માહિતી મળી હતી કે પિંકી ત્રિપાઠી નામની મહિલાની લાશ તેના ઘરમાં લોહીથી લથપથ હાલતમાં પડી હતી. તેમજ મૃતકના ભાઈએ ફરિયાદ આપી છે, જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી હરિકાંત ત્રિપાઠીને તેની પહેલી પત્નીથી બે પુત્રો છે અને પિંકી તેની બીજી પત્ની હતી.

આરોપી પતિ હરિકાંત ત્રિપાઠી દિલ્હીના બદરપુર વિસ્તારનો રહેવાસી છે. આગલા દિવસે તે પત્ની પિંકી સાથે ગામ પહોંચ્યો હતો. બંને વચ્ચે પ્રોપર્ટીને લઈને ઘણા વિવાદ ચાલતા હતા, જેના કારણે તેમની હત્યા કરવામાં આવી હતી. હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *