પિતાએ 14 વર્ષના દીકરાને એવું તો શું કહી દીધું કે, પુત્રએ ગળેફાંસો ખાઇને કરી લીધો આપઘાત- ‘ઓમ શાંતિ’

બનાસકાંઠા(Banaskantha): નાની-નાની વાતમાં ગંભીર પગલા ભરતા અનેક કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. જો વાત કરવામાં આવે તો વાવના ગંભીરપુરા ગામે પિતાએ પોતાના ધોરણ-9માં અભ્યાસ કરી રહેલા પુત્રને પરીક્ષા હોવાથી વાંચન કરવાનું કહેવામાં આવતા પુત્રને ખોટું લાગી આવતાં છાપરાના પાટ ઉપર દોરડા વળે ગળે ફાંસોખાઈ આપધાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, વાવ તાલુકાના ગંભીરપુરા ગામે રહેતા પ્રકાશભાઈ ઠાકરશીભાઈ ઠાકોરનો 14 વર્ષના પુત્ર વિષ્ણુભાઈ ઠાકોર ઢીમા હાઇસ્કૂલમાં 9 ધોરણમાં અભ્યાસ કરતો હતો. જ્યાં હમણાં વિષ્ણુને સ્કૂલમાં પરીક્ષાઓ ચાલતી હતી. ગુરુવારના રોજ પહેલું પેપર હતું અને શુક્રવારના રોજ જાહેર રજા હતી. જ્યારે શનિવારના રોજ બીજુ પેપર હતું.

મહત્વનું છે કે, ​​​​​​​​​​​​​​ત્યારે ગુરુવારના રોજ વિષ્ણુને પિતાએ વાંચન કરવાનું કહેતા વિષ્ણુએ જણાવતા કહ્યું કે, કાલે રજા છે એટલે કાલે વાંચીશ જેથી પિતાએ તેણે ઠપકો આપ્યો હતો. જેનાથી વિષ્ણુને મનમાં લાગી આવતા છાપરાના પાટ ઉપર દોરડાથી ગળેફાંસો ખાઇ આપધાત કરી જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ સમગ્ર ઘટનાને લીધે પંથકમાં ચકચાર સાથે શોક પ્રસરી ગયો હતો. આ અંગે વિષ્ણુના પિતાએ વાવ પોલીસ સ્ટેશને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરતા વાવ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેના વિષ્ણુના મૃતદેહને વાવ રેફરલમાં લાવી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશભાઇ ઠાકોરના પત્નીને મગજનું કેન્સર છે અને જે બીમાર અવસ્થામાં છે. જેઓને સંતાનોમાં ત્રણ દીકરા-દીકરી છે. જેમાં સૌથી મોટા વિષ્ણુએ આપઘાત કરી જીવન ટૂંકાવી દેતાં પરિવાર ઉપર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *