ગુજરાત રાજ્યમાં 79 જેટલા IAS ની થઇ બદલી. જાણો કોની કયા બદલી થઇ ? જુઓ આખું લીસ્ટ અહીં.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 79 જેટલા IASઓની બદલી કરવામાં આવી છે. જેની અંદર રાજકોટના કલેકટર રાહુલ ગુપ્તાને ગાંધીનગર ઇન્ડસ્ટ્રીઝ કમિશનર બનાવવામાં આવ્યા છે. અને તેમની…

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 79 જેટલા IASઓની બદલી કરવામાં આવી છે. જેની અંદર રાજકોટના કલેકટર રાહુલ ગુપ્તાને ગાંધીનગર ઇન્ડસ્ટ્રીઝ કમિશનર બનાવવામાં આવ્યા છે. અને તેમની જગ્યા પર કચ્છના કલેકટર રેમ્યા મોહનને મુકવામાં આવ્યા છે.

બનાસકાંઠાના DDO બી.એસ.શાહની બદલી કરીને તેમને સહકારી મંડળીના રજીસ્ટ્રાર બનાવામાં આવ્યા છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધીને સુરતના મ્યુનિસિપલ કમિશનર બનાવવમાં આવ્યા છે. બંછાનીધી પાનીની જગ્યા પર ઉદ્દિત અગ્વાલને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બનાવામાં આવ્યા છે.

ભાવનગરના કોર્પોરેટર હર્ષદ કુમારની બદલી કરી તેમને સેટલમેન્ટ કમીશનર બનાવામાં આવ્યા. ઉર્જા વિકાસના MD પંકજ જોશીને ઉર્જા વિભાગના અગ્રસચીવ બનાવવામાં આવ્યા. આરોગ્ય વિભાગના કમિશ્નર જયંતી રવિની પ્રમોશન સાથે બદલી કરીને આરોગ્ય વિભાગના અગ્રસચિવ બનાવવમાં આવ્યા છે.

નવસારી શહેરના કલેકટર એમ.ડી.મૂળીયાને ભરૂચના કલેકટર બનાવામાં આવ્યા છે. અને ભાવનગરના કલેકટર તરીકે ગૌરાંગ મકવાણાને નીમવામાં આવ્યા છે. આદ્રા અગ્રવાલને નવસારીના કલેકટર બનાવાયા છે. આર. જે. માકડીયાને મહેસુલ ઇન્પેકશન કમીશનર બનાવાયા તો ખેડાના DDO ડી.એમ મોદીને પોરબંદરના કલેકટર બનાવાયા છે.

મોરબીના કલેકટર આર. જે. માકડીયાની બદલી કરીને તેના સ્થાને તાપીના DDO જે.બી. પટેલને કલેકટર બનાવામાં આવ્યા છે. પંચમહાલના કલેકટર ઉદ્દિત અગ્રવાલની જગ્યાએ અમિત અરોરાને કલેકટર બનાવ્યા છે. એમ. થેન્નારસનને GIDCના વાઈસ ચેરમેન અને MD બનાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *