રીબાઈ રીબાઈને મોતને ભેટ્યા વડોદરાના આ દંપતી, આખી રાત પરિવાર શોધતો રહ્યો પરંતુ…

Vadodara, Gujarat: રાજ્યમાં દિવસેને દિવસે આપઘાતના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ વધુ એક આપઘાતની ઘટના વડોદરા માં આવેલા વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પસેથી સામે…

Vadodara, Gujarat: રાજ્યમાં દિવસેને દિવસે આપઘાતના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ વધુ એક આપઘાતની ઘટના વડોદરા માં આવેલા વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પસેથી સામે આવીં છે. વડોદરામાં એક મહિલા અને પુરુષે વિશ્વામિત્રી રેલવે પાસેથી પસાર થઇ રહેલી ટ્રેન નીચે પડતું મૂકીને પોતાની જીવન દોરી ટુકાવી હતી.

ઘટનાની જાણ પોલીસને થતા પોઈસ તરતજ ઘટના સ્થળે આવી પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે આ યુવક અને મહિલા દંપતી છે અને આ દંપતી વડોદરાના ખોડિયારનગર ઉપવન હેરિટેજમાં રહેતા હતા.

બંનેના લગ્ન બે વર્ષ પૂર્વે થયાં હતાં. મળેલી માહિતી અનુસાર આ યુવાન વેપારી દંપતીએ ગૃહક્લેશના કારણે આપઘાત કર્યો હતો તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. રાત થઇ ગઈ હોવા છતાય દંપતી ઘરે પરત આવ્યું ન હતું અને ત્યારે પરિવારના લોકોએ શોધખોળ કરવાનું શરુ કર્યું હતું.

પરિવારને શોધખોળ દરમિયાન ઘટનાની જાણ થઇ હતી. પરિવારને જાણ થતા તરતજ હોસ્પિટલ લઇ ગયા હતા. 24 વર્ષીય સૂરજ રામમણી પાંડે અને 23 વર્ષીય નિલુબહેન પાંડેએ સાંજે વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે જઇ પસાર થતી  ટ્રેનની સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.

બંને ક્લિનિંગની ચીજવસ્તુઓની શોપ હરણી એરપોર્ટ પાસે ચલાવતા હતા. આ પગલું ભર્યા પહેલા બંને એક કલાક સુધી સ્ટેશન ખાતે રોકાયા હતા ત્યાર બાદ આપઘાત કર્યો હતો. હાલ પોલીસે ઘટનાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *