સૂરજેવાલનો કેન્દ્ર સરકાર પર નિશાનો, કહ્યું કેગ રિપોર્ટથી ખુલી બીજેપીના ખોટા રાષ્ટ્રવાદની પોલ

લેહ , લદ્દાખ અને સિયાચીન જેવા સ્થળો પર ફરજ બજાવતી ભારતીય સેનાના જવાનોને મળી રહેલી સુવિધા ઉપર કેગના રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો છે. કેગના રિપોર્ટ…

લેહ , લદ્દાખ અને સિયાચીન જેવા સ્થળો પર ફરજ બજાવતી ભારતીય સેનાના જવાનોને મળી રહેલી સુવિધા ઉપર કેગના રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો છે. કેગના રિપોર્ટ અનુસાર જવાનોને કપડા, બરફ માં પહેરવાના ચશ્મા સહિત અન્ય સામાનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

કેગ રિપોર્ટ સામે આવ્યા બાદ કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા એ કહ્યું કે ભાજપ સેનાના નામે ખૂબ મત માગશે, પરંતુ જવાનોને જરૂર હોય ત્યારે તેમની  સામેથી મોઢું ફેરવી નાખશે.

રણદેવી સુરજેવાલા કહ્યું કે કેગ રિપોર્ટ એ બીજેપીના ખોટા રાષ્ટ્રવાદની પોલ ખોલી -પાંચ વર્ષથી સિયાચીનમાં ન તો જરૂરી કપડા, ન યોગ્ય ઉપકરણો, ન તો સ્નો ગોગલ્સ, ન માસ્ક, ન બુટ, ન સ્પેશ્યલ રેશન, ન વ્યવસ્થિત રીતે રહેવાની સુવિધા.

કેગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2015થી લઈ સપ્ટેમ્બર 2016 સુધી જવાનોને બુટ આપવામાં આવ્યા નથી, આથી જવાનો જુના બુટ ને ફરી ઉપયોગમાં લઇ રહ્યા છે, અને કામ ચલાવવું પડી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *