65 વર્ષ જૂના કાયદાને બદલવા જઈ રહી છે મોદી સરકાર, ખેડૂતોને થવા જઈ રહ્યો છે મોટો લાભ

કોરોના સંકટ કાળમાં સરકારે ૨૦ લાખ કરોડ રૂપિયાના રાહતપેકેજ નું એલાન કર્યું છે. આ પેકેજ વિશે વિસ્તારથી જણાવવા માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણ સતત પ્રેસ…

કોરોના સંકટ કાળમાં સરકારે ૨૦ લાખ કરોડ રૂપિયાના રાહતપેકેજ નું એલાન કર્યું છે. આ પેકેજ વિશે વિસ્તારથી જણાવવા માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણ સતત પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે.

આના અંતર્ગત ગયા શુક્રવારે પણ તે મીડિયા સામે આવી હતી. આ દરમિયાન તેમણે લગભગ ૬૫ વર્ષ જૂના કાયદામાં ફેરફાર કરવાનું એલાન કર્યું. આવો જાણીએ આ બદલાવ વિશે કોને તેનો ફાયદો મળશે.

સરકારે અનાજ, ખાદ્યતેલ, તલ, દાળ, બટાકા અને ડુંગળી જેવી કૃષિ પાકોને નિયંત્રણ મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. તેના માટે સરકાર લગભગ ૬૫ વર્ષ જૂના આવશ્યક વસ્તુઓ અધિનિયમ માં ફેરફાર કરવા જઈ રહી છે.

આ ફેરફાર દ્વારા ખાદ્ય તેલ ઉત્પાદકોના ઉત્પાદન અને વેચાણને નિયંત્રણ મુક્ત કરવામાં આવશે. તેમજ કોઈપણ ઉત્પાદન પર સ્ટોક સીમા લાગુ નહીં થાય.

એનો મતલબ છે કે આ તમામ ખેતી ખાદ્યસામગ્રી પર સરકારનું નિયંત્રણ નહીં રહે અને ખેડૂત પોતાની રીતે તેનું મૂલ્ય નક્કી કરી વેચાણ કરી શકશે.

જોકે સરકાર સમયે સમયે તેની સમીક્ષા કરતી રહેશે. જરૂર પડ્યે નિયમોને કડક કરવામાં આવી શકે છે.

જણાવી દઈએ કે આ કાયદાના નિયમોનું ઉલ્લંઘન કરનારને સાત વર્ષની જેલ અથવા દંડ અથવા બંનેથી કરવામાં આવી શકે છે. આ ઉપરાંત વધુમાં વધુ છ મહિના માટે નજરકેદ કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *