સુરતનાં આ હરિભક્તે ભગવાન સ્વામિનારાયણને અનોખી રીતે અર્પણ કરી પ્રભુ ભક્તિ 

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આવા સમયમાં કેટલાંક હરિભક્તો વિવિધ રીતે ઈશ્વર પ્રત્યેની પોતાની ભક્તિ અર્પણ કરતાં હોય છે. હાલમાં પણ રાજ્યમાં…

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આવા સમયમાં કેટલાંક હરિભક્તો વિવિધ રીતે ઈશ્વર પ્રત્યેની પોતાની ભક્તિ અર્પણ કરતાં હોય છે. હાલમાં પણ રાજ્યમાં આવેલ સુરતમાંથી એક જાણકારી સામે આવી રહી છે. ઈશ્વર પ્રત્યેની પ્રેમ ભક્તિ ક્યાં, કેવી રીતે, પ્રગટાવી શકાય એ ભાવનાશીલ ભક્તને સુજી જ જતું હોય છે.

અધિક માસમાં ભાવિકો દ્વારા વિવિધ રીતે ભગવાનને રીઝવવા માટેનાં પ્રયાસો કરવામાં આવતાં હોય છે. સુરતમાં રહેતાં તથા સાડીઓ પર સ્ટોન ચોંટાડવાનું કામ કરતાં જોગાણી પરિવારે સ્વામિનારાયણ ભગવાનની માટે કોઠાસૂઝનો ઉપયોગ કરીને તલનાં કુલ 2.5 દાણામાંથી હાર,બાજુ બંધ સહિતની વસ્તુઓ બનાવી છે.

સૌરાષ્ટ્રથી તલ મંગાવ્યા :
ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ગીર ગઢડા તાલુકાનાં ફાટસર ગામનાં કાળુભાઈ જોગાણીને અધિક માસમાં ભગવાનને નવીન તેમજ કંઈક જુદી રીતે ભક્તિ અર્પણ કરવાની ભાવના જાગી હતી. જેથી એમણે નીલકંઠ ભગવાન માટે તલનો હાર બનાવવાનું નક્કી કર્યું હતું. જેનાં માટે પોતાના ગામ ફાટસરથી પોતાના ખેતરમાંથી તૈયાર થયેલ તલ મંગાવ્યા હતાં. માત્ર 21 દિવસમાં આ તલનો હાર તેમજ બાજુબંધ, તોરા વગેરે તૈયાર કર્યાં હતાં.

તલ તૂટી જતા હોવાથી કોઠાસૂઝ વાપરી :
ધીરુભાઈએ જણાવતાં કહ્યું હતું કે, 1-1 તલ નો દાણો હાથમાં પકડવાથી પણ દબાઈ જાય ત્યારે એમાં સોય તથા દોરો પરોવતી વખતે ભાંગી જવાની સંભાવના ખૂબ રહે. એક વાટકીમાં તલ ભરીને 1 ચમચી જેટલું થોડું પાણી નાંખીને થોડા સમય સુધી તલને ભીંજવી દેવામાં આવતાં હતાં. જો વધારે સમય ભીંજાઈ જાય તો તલ પોચા પડી જવાંથી પરોવી શકાય નહીં. ત્યારપછી મોતી પોરવવાની સોયથી 1-1 તલને પરોવતા હતાં.

21 દિવસની મહેનતે હાર તૈયાર થયા :
જોગાણી પરિવારનાં ધીરૂભાઈ એમના ધર્મ પત્ની જાગૃતિબેન, બાળકો જ્હાન્વી તથા જય પણ આ કામમાં જોડાયા હતાં. પ્રભુ સ્વામિના જણાવ્યા પ્રમાણે કુલ 4 લોકોએ દરરોજનાં 4 કલાક સુધી પરોવતા માત્ર 21 દિવસે આ હાર તૈયાર કર્યો હતો. પહેલાં તો કુલ 200 ફૂટ લાંબી સીગલ શેર તૈયાર કરી હતી. ત્યારપછી એને આર્ટિફિશિયલ ગુલાબ લઇને રમણીયતા આપી હતી.

નિલકંઠ ધામમાં ભગવાનને હાર ચડાવવામાં આવ્યો :
સુરતમાં આવેલ વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુલનાં મહંતશ્રી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ ઓનલાઈન પ્રાતઃ સહજાનંદી સભામાં જણાવ્યું હતું કે, ભક્તોએ અધિક માસમાં પોતાના હૃદયની ભક્તિ વિશિષ્ટ રીતે ભગવાનને અર્પણ કરવી જોઈએ. જેથી એમના આશિર્વાદ સાથે આ હારને તૈયાર કરવામાં આવ્યો છે. તીર્થધામ પોઇચા સ્વામિનારાયણ મંદિર નિલકંઠ ધામમાં આ હાર ભગવાનને અર્પણ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *