સુરતમાં માથાભારે સૂર્યા મરાઠે તથા હાર્દિકની હત્યા પછી વધુ એક લેડી ડોન આવી મેદાનમાં… 

હાલમાં કોરોનાની વેશ્વિક મહામારી ચાલી રહી છે. રાજ્યમાં આવે લ્સુર્ત શહેરમાંથી એક જાણકારી સામે આવી હી છે. સુરતમાં લેડી ડોનનું નામ તો સૌ કોઈએ સાંભળ્યું…

હાલમાં કોરોનાની વેશ્વિક મહામારી ચાલી રહી છે. રાજ્યમાં આવે લ્સુર્ત શહેરમાંથી એક જાણકારી સામે આવી હી છે. સુરતમાં લેડી ડોનનું નામ તો સૌ કોઈએ સાંભળ્યું જ હશે પરંતુ હાલમાં મળેલ જાણકારી પ્રમાણે બીજી એક લેડી ડોન મેદાનમાં ચડી હોવાની જાણકારી સામે આવી રહી છે.

સુરતમાં માથાભારે સૂર્યા મરાઠેની હત્યાની સાથે જ માથાભારે હાર્દિક પટેલની હત્યા થતાં થોડાંક અંશે એવું લાગતું હતું કે, વેડ તથા કતારગામ વિસ્તારમાં હવે શાંતિ જોવાં મળશે પણ મરનાર માથાભારે હાર્દીક પટેલની પત્નીનાં માનસિક ત્રાસથી ખેડૂતે આત્મહત્યા કરી લેતાં એવું લાગી રહ્યું છે કે, ખાલી પડેલ જગ્યાને પુરવા માટે હવે લેડી ડોન મેદાનમાં આવી છે.

આ ઘટનામાં મળતી જાણકારી મુજબ, માથાભારે સૂર્યા મરાઠે જેની હત્યા આ વર્ષે કરવામાં આવી હતી. મિત્ર તેમજ સાથે ગેંગના સભ્યોએ ભેગા થઈને માથાભારે સૂર્યા મરાઠેની હત્યા કરી નાખી હતી. આ હત્યા કરતી વખતે ઝપાઝપી થઈ હોવાને લીધે સૂર્યા મરાઠેનાં હાથ પર હાર્દીક પટેલ પણ ઇજાગ્રસ્ત થયા પછી સારવાર કરતી વખતે મોતને ભેટી ગયો હતો.

સુરત પોલીસ માટે એક જ કિસ્સામાં કુલ 2 માથાભારે વ્યક્તિની હત્યા થઈ જતાં એવું લાગ્યું હતું કે, આ વિસ્તારમાં હવે અસામાજિક તત્વોનો આતંક પૂર્ણ થઈ થયો છે પણ ખેડૂત કિરીટ પટેલની આત્મહત્યાની તપાસનો રેલો હવે લેડી ડોન બનવાના પ્રયત્ન કરતી નૈનાબેન પટેલ સુધી પહોંચી ગયો છે.

સુરતમાં મોટી વેડ વિસ્તારમાં આવેલ જમીનનો બિલ્ડર છેલ્લાં 5 વર્ષથી રૂપિયા આપવામાં થઇ રહેલ બદમાશી અને બીજી બાજુ વ્યાજખોરના ચુંગાલમાં ફસાઈને આત્મહત્યા કરી લેનાર જહાંગીરપુરાનાં ખેડૂતના આત્મહત્યાની ઘટનામાં ગત શનિવારની રાત્રે બિલ્ડર તથા સૂર્યા મરાઠીની હત્યા વખતે પોતે પણ રહેંસાઈ ગયેલાં હાર્દિક પટેલની પત્ની નયનાની વિરુદ્ધ જહાગીરપુરા પોલીસે છેવટે આપઘાતની દુષ્પેરણા આપવાનો ગુનો નોંધ્યો હતો.

માત્ર 42 વર્ષીય કિરીટ ધીરજ પટેલે જહાંગીરપુરા સુંદરવન રો-હાઉસ સ્થિત મકાનમાં ગુરુવારનાં રોજ ગળે ફાંસો ખાઇ લીધો હતો. કીરીટે લખેલ કુલ 2 સુસાઇડ નોટ પણ પોલીસને મળી આવી હતી. જેમાં વ્યાજખોરો પોતાનું ઘર લખાવી લેવાં માંગતા હોવાનું તેમજ મોટી વેડ વિસ્તારની જમીનની ખરીદી કરનાર બિલ્ડર મગન દેસાઇ પૈસા ન આપતો હોવાનું અને એણે ગદ્દારી કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સૂર્યા મરાઠીની હત્યા કેસમાં સંડોવાયેલા હાર્દિક પટેલની પત્ની નયનાની પાસેથી કિરીટ પટેલે કુલ 6 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા. કુલ 1 લાખ તો કીરીટ ચૂકવી શક્યો હતો પણ બાકી રહેલાં કુલ 5 લાખ માટે નયના ઘરે આવીને રંજાડતી હોવાના આરોપને લીધે પોલીસે નયના પટેલને પણ આરોપી બનાવી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *