સુરતના મેયરને મળ્યું ગોબરદાસનું ઉપનામ- જુઓ કોણે લગાવ્યા ગંધાતી ખાડીમાં ફોટો પોસ્ટર

સુરત આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં ખાડી પુરને લઈ આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પુણા પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી ખાડી માં ખુબજ ગંદકી જમા થઈ ગઈ છે સાથે ખાડીમાં ઝાડી ઝાંખરાઓ પણ વધી ગયા છે અને તેમની ખાડી કિનારાની સોસાયટીઓ એ વારંવાર રજૂઆતો કરી છતાં SMC દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી. ત્યાર બાદ સંકલન મીટીંગ માં પણ પાયલ સાકરિયા અને પાર્ટીના લોકોએ રજુઆત કરી છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી.

સુરતના મેયર શ્રીમતી હેમાલી બેન બોઘાવાલા અને માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી બચ્છાંનિધિ પાની ને આવેદન પણ આપ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન વિભાગ-એ અને વિભાગ-બી માં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી ગાડી ની આજુબાજુ ની વિવિધ સોસાયટીઓ નાં રહેવાસીઓને ખાડી ની દુર્ગંધ તથા તેમાં રહેતી ગંદકીના કારણે ઉદભવતી મચ્છરોના ઉપદ્રવ તથા ખરાબ વાસ ના કારણે વિવિધ આરોગ્યલક્ષી તકલીફોનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો: AAP ના કોર્પોરેટરની નવી પહેલ: જનતાને પૂછશે, બોલો તમારે તમારી સોસાયટીમાં શું કામ કરવું છે?

જેના કારણે આ સમસ્યાના કારણે ઉપરોક્ત સોસાયટીના રહીશોના આરોગ્ય સામે ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. જેથી આ વિસ્તારના રહીશો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે તથા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ૩૬ કલાકની અંદર દસથી વધુ ટીમ ઉતારી ખાડીની ડ્રેજીંગ ની કામગીરી કરવી અત્યંત જરૂરી છે. જેથી આ વિસ્તારમાં ખાડીના ગંદા પાણીના ભરાવાને કારણે રહીશોને આરોગ્ય સહિત જાનમાલનું નુકસાન ન થાય.

SMC અને સત્તાધીશો ને વારંવાર રજુઆત કરવા છતાં ખાડી ની સફાઈ કરવામાં ના આવતા આજ થી આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહિત તમામ નગરસેવકો અને કાર્યકરો દ્વારા ખાડી ની સાફ સફાઈ ની કામગીરી જાતે જ ચાલુ કરી દેવામાં આવી છે. હાલમાં આપના નગરસેવકો અને કાર્યકરો દ્વારા ઝાડી ઝાંખરાને હટાવવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ કાર્યકરો આમ આદમી પાર્ટી દ્વારા ખાડી સફાઈ ની કામગીરી હાથ ધરાતા SMC ના અધિકારીશ્રી સ્થળ પર આવી પહોંચ્યા અને તેમણે કહ્યું કે ખાડી સફાઈ ની કામગીરી ચાલુ કરવામાં આવશે. પરંતુ હજુ સુધી નથી તો નગરપાલિકાના અધિકારીઓ આવ્યા કે નથી કોઈ સતા પક્ષના નેતા આવ્યા.
આ પણ વાંચો: AAP ના કોર્પોરેટરની નવી પહેલ: જનતાને પૂછશે, બોલો તમારે તમારી સોસાયટીમાં શું કામ કરવું છે?

ત્યારે હવે સતત ત્રીજા દિવસે કોઈ નગરપાલિકાના અધિકારો કે સતાપક્ષના નેતા ખાડીની મુલાકાતે પણ નથી આવ્યા. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ખાડી અભિયાન શરુ કર્યું છે જેમાં સતત ત્રીજા દિવસે ખડી સાફ કરવામાં આવી રહી છે. આ ખાડી અંગે ખુબ જ રજૂઆત કરવામાં આવતી હોવા છતાં કોઈ શાસક પક્ષના નેતા નથી આવ્યા ત્યારે હવે આમ આદમી સુરત દ્વારા અનોખો વિરોધ નોંધાવ્યો છે. જેમાં આ ખાડીમાં સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા, શાસક પક્ષના નેતા અમિત રાજપૂત અને ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીના બેનરો લગાડવામાં આવ્યા છે અને લોકો તેમને હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે આ ખાડીની વહેલી તકે સફાઈ કરવામાં આવે. સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા હાલમાં ખાડીની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. તેમની સાથે સ્થાનિક લોકો પણ આ ખાડી સફાઈ અભિયાનમાં જોડાયા છે અને ખાડીની સફાઈ કરવામાં આવી રહી છે.

ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ખાડી અંગે વારંવાર રજૂઆત કરવા છતાં શા માટે સતાધીશો અને નગરપાલિકાના અધિકારીઓ જાગતા નથી? શું આમ જ લોકોના જીવને જોખમમાં મુકવામાં આવશે? હવે જોવાનું એ રહ્યું કે ક્યારે સતા પક્ષના લોકો આ ખાડીનો યોગ્ય નિકાલ લાવે છે.
આ પણ વાંચો: AAP ના કોર્પોરેટરની નવી પહેલ: જનતાને પૂછશે, બોલો તમારે તમારી સોસાયટીમાં શું કામ કરવું છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *