‘પંખીડા રે ઉડી જાજો..,’ PAAS કાર્યકરો કોરોના કાળમાં નિયમો નેવે મૂકી ગરબા રમ્યા

થોડા સમય પહેલા જ નવરાત્રિને લઈને સરકારે કોઈ પ્રકારની મંજૂરી આપવાની સખ્ત ના પડી દીધી હતી. જેને લઈને ગરબા આયોજકોને મોટી ખોટ ખાવાનો વારો આવ્યો…

થોડા સમય પહેલા જ નવરાત્રિને લઈને સરકારે કોઈ પ્રકારની મંજૂરી આપવાની સખ્ત ના પડી દીધી હતી. જેને લઈને ગરબા આયોજકોને મોટી ખોટ ખાવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત, ખેલ્યાઓ પણ નારાજ જોવા મળી રહ્યા છે. પણ પાસના ખેલૈયાઓ ગરબે રમી રહ્યા હોય એવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાપુતારાના ટેબલ પોઈન્ટ ગીરીમથક પર ગરબા રમીને આ રીતે ઉજવણી કરવામાં આવી હતી. સાપુતારાના ટેબલ પોઈન્ટ પર ફરવા ગયેલા સુરતના પાસના આગેવાન સહિતના યુવકોએ ગરબા રમ્યા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ અંગે પાસના કન્વિનર અલ્પેશ કથિયારીએ કહ્યું કે, માનસિક તણાવ દૂર કરવા માટે સાપુતારા ફરવા ગયા હતાં.

ગીરીમથક તરીકે જાણીતા સાપુતારા ફરવા માટે ગયેલા પાસના આગેવાન સહિતના યુવકોએ ગરબા રમ્યા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સાપુતારામાં આવેલા ટેબલ પોઈન્ટના વાહન પાર્કિંગમાં જ નવરાત્રિ અગાઉ પાટીદાર યુવકો ગરબે રમતા જોવા મળ્યાં હતાં. ‘ઓલા ગામના સુથારી વેલા વેલા આવો રે.., મારી મહાકાળીને હાટુ સારો બાજોટ લાવો રે.., પંખીડા રે ઉડી જાજો પાવાગઢ રે..’ જેવા ગરબાના ગીત શરૂ કરીને પાટીદાર યુવકોએ ગરબા શરૂ કર્યા હતાં. જેને જોવા માટે અન્ય પ્રવાસીઓના ટોળા વળી ગયાં હતાં. જેથી સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ધજાગરા ઉડ્યાં હતાં. પાટીદાર અનામત આંદોલન સમિતીથી જાણીતા થયેલા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા પણ આ વીડિયોમાં હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે.

સાપુતારામાં આ સુરતના પાસના આગેવાન સહિતના યુવકોએ ગરબા રમતા સમયે કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન્સનું પાલન કર્યું નથી. માસ્ક પણ કોઈ પણ વ્યક્તિએ પહેરેલું નથી. તેમ છતાં ટોળે વળેલા યુવાનો ગરબાનું સેલિબ્રેશન કરી રહ્યા છે. ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જોવા મળતું નથી. કોઈએ માસ્ક પણ પહેર્યું નથી. હવે આ ટોળામાંથી સંક્રમણ ફેલાશે તો એના માટે જવાબદાર કોણ એ સ્પષ્ટ કહી શકાય એમ નથી. પણ ગરબાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર સામે અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે.

અત્રે ઉલેખનીય છે કે, આ વીડિયો જૂનો નથી. આ વિડીયો થોડા સમય પહેલાનો જ છે. સ્થાનિકો એવું પણ કહે છે કે, એક એવું ગ્રુપ અહીં આવ્યું હતું અને ટેબલ પોઈન્ટ પર ગરબા પણ કર્યા હતા. અત્યારે કોરોના વાયરસને કારણે રાજ્યની સ્થિતિ ગંભીર છે. આવા સંજોગોમાં ગરબા કરવા કેટલું યોગ્ય છે? નિયમો તમામ લોકોને લાગુ પડે છે તો આ લોકો સામે શું પગલાં લેવાશે? આ બંને પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. જોકે, ગાઈડલાઈન્સનું પાલન કરવાને લઈને તંત્ર તરફથી અનેક વખત અપીલ કરવામાં આવે છે. હાલ કોરોના મહામારીને કારણે નવરાત્રિનું કોઈ પ્રકારનું આયોજન રાજ્યમાં નહીં થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *