“વિધિ કરાવશો તો ધંધો સારો ચાલશે”, તાંત્રિકે પ્રસાદ ખવડાવી સુરતની યુવતી સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

સુરત શહેરની યુવતીએ પોતાનો વેપાર સારો ન ચાલતો હોવાને લીધે વડોદરા શહેરનાં એક તાંત્રિકની પાસે વિધિ કરાવી હતી. જોકે આ વિધિમાં સુરત શહેરની યુવતી સાથે…

સુરત શહેરની યુવતીએ પોતાનો વેપાર સારો ન ચાલતો હોવાને લીધે વડોદરા શહેરનાં એક તાંત્રિકની પાસે વિધિ કરાવી હતી. જોકે આ વિધિમાં સુરત શહેરની યુવતી સાથે તાંત્રિકે દુષ્કર્મ કર્યું હતું. આ તાંત્રિક સામે ભાવનગર જીલ્લા ખાતે દુષ્કર્મની FIR નોંધાતા સુરત શહેરની યુવતી એ પણ આ તાંત્રિક સામે હિંમત કરી સુરત શહેરનાં કતારગામ વિસ્તારના પોલીસ મથકમાં દુષ્કર્મની FIR નોંધાવી છે. સુરત શહેરનાં કતારગામ ખાતે રહેતી યુવતી પરિવારજનોને સાડીમાં સ્ટોન લગાવીને આર્થિક રીતે મદદ કરતી હતી.

જોકે તેનો વેપાર સારો ન ચાલતો હોવાનાં લીધે તેનાં કોઈ પરિચિત દ્વારા તેને એક તાંત્રિકની પાસે વિધિ કરવવા જાણકારી આપવામાં આવી હતી. જેને લીધે પોતાનો વેપાર સારો ચાલે તે માટે આ યુવતીનો પરિવાર વર્ષ 2017માં વડોદરા શહેરમાં હિરેન પુરોહિત નામના જ્યોતિષ પાસે વિધિ કરાવવાથી વેપાર-ધંધો સારો ચાલશે. એટલે વર્ષ 2017માં હિરેન નરેન્દ્ર પુરોહિતને સુરત શહેર બોલાવાયો હતો. તે યુવતીનાં ઘરે ગયો તેમજ તે તાંત્રિકે કહ્યું કે, તેનાં ઉપર માતાજીનાં આશિર્વાદ છે. ઘણા જાદુ પણ કર્યા હતા.

જેનાં લીધે યુવતીનાં પરિવારજનો તેનાંથી પ્રભાવિત થયા હતા. ઘરનાં બધા સભ્યો ઉપર તાંત્રિકે વિધિ કરી હતી. હિરેને વિધિનાં ઘણા રૂપિયા પણ લીધા હતા. છેલ્લે યુવતી ઉપર વિધિ કરવાનાં સમયે તાંત્રિકે જણાવ્યું કે, યુવતી વિધિ એકાંતમાં કરવી પડશે. જો અનિષ્ટ તત્વો બહાર નીકળશે તો તે અન્યને ચોટી જાય તેમ છે. એવું કહીને તે યુવતીને બીજી રૂમમાં બોલાવી હતી. ત્યાં યુવતીની ઉપર વિધી કરીને ઘેનવાળો પ્રસાદ ખવડાવવામાં આવ્યો હતો. જેથી તે યુવતી બેહોશ થઈ ગઈ.’

યુવતીનાં આરોપ અનુસાર તે બેહોશ થઈ તે સમયે હિરેને તેની ઉપર બળાત્કાર કર્યો હતો તેમજ યુવતીનાં નગ્ન ફોટા પણ પડ્યા હતા. જોકે બનાવની જાણકારી મળતા યુવતીએ પોતાની આબરૂને બચાવવા તાંત્રિકની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ, તે સમયે હિરેન પોતે પણ કુંવારો હોવાનું જણાવવામાં આવ્યું હતું.

યુવતીનાં પરિવારજનોઈ યુવતીને હિરેન તાંત્રિક સાથે લગ્ન કરવા માટે ના પાડી તો યુવતીએ ભાગી જવાની ધમકી આપી હતી. એ પછી યુવતીએ હિરેન સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ જાણવા મળ્યું કે, તાંત્રિક પરણેલો છે તેમજ વિવાદાસ્પદ છે. જેથી વર્ષ 2019માં છૂટાછેડા લઈ લીધા હતા.

જોકે આ તાંત્રિક સામે અત્યારે ભાવનગર જીલ્લા ખાતે એક મહિલા દ્વારા બળાત્કારની ફરિયાદ કરી તેવું આ યુવતીને જાણવા મળતા આ યુવતીએ હિંમત કરીને આ તાંત્રિક સામે બળાત્કારની FIR સુરત શહેરનાં કતારગામ વિસ્તારનાં પોલીસ મથકમાં નોંધાવતાં પોલીસે આ ગુનો નોંધી વધારે તપાસ ચાલુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *