મોતનો LIVE વિડીયો- સુરતના કતારગામમાં કારખાનાની દીવાલ ધરાશાયી થતા બે લોકોના દુઃખદ મોત

સુરત(surat) શહેરના કતારગામ(Katargam)માં જરીવાલા કંપાઉન્ડ(Jariwala compound)માં કારખાનાનું રીપેરીંગ(Repairing) કામ ચાલી રહ્યું હતું. રીપેરીંગ કામ દરમિયાન બ્રેકર મશીન દ્વારા આરસીસી સ્ટ્રક્ચર તોડી રહ્યા હતા. તે દરમિયાન…

સુરત(surat) શહેરના કતારગામ(Katargam)માં જરીવાલા કંપાઉન્ડ(Jariwala compound)માં કારખાનાનું રીપેરીંગ(Repairing) કામ ચાલી રહ્યું હતું. રીપેરીંગ કામ દરમિયાન બ્રેકર મશીન દ્વારા આરસીસી સ્ટ્રક્ચર તોડી રહ્યા હતા. તે દરમિયાન દિવાલ અને સ્લેબ ધરાશાયી થઇ હતી. ધરાશાયી થયેલ દિવાલ અને સ્લેબ પાર્કિંગ(Parking) સાઈડ પડતા 2 લોકોનું દબાઈ જવાથી મોત નીપજ્યું હતું. પાર્કિંગ સાઈડ દિવાલ અને ભારે સ્લેબ પડવાના કારણે ત્યાં પાર્કિંગ કરેલ 2 કાર, મોપેડ સહિત 40 જેટલાં વાહનોનો ભૂકો થઇ ગયો હતો. જયારે આ ઘટના 19 માર્ચના રોજ બની હતી પરંતુ તે ઘટનાના સીસીટીવી આજે સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર દિવાલ ધરાશાયી થઇ તે દરમિયાન નીચે ઉભેલા ત્રણ લોકોના જીવ માંડ-માંડ બચ્યાં છે.

બાઈક છોડીને ભાગી જવાથી બચ્યો જીવ: 
વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાય રહ્યું છે કે, કાટમાળની દીવાલ નીચે ઉભેલા ત્રણથી ચાર લોકો પર પડે છે. જયારે નીચે ઉભેલા લોકો દ્વારા ભાગવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર બે યુવક મોટરસાયકલ ઉપર સવાર હતા જેથી ભાગી શક્યા નહિ અને તેમના ઉપર આ કાટમાળ પડે છે.

બિલ્ડિંગના માલિકને આ બાબતે બે વખત આપવામાં આવી હતી નોટિસ: 
મળતી માહિતી અનુસાર ગત 19 માર્ચના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં જરીવાલા કંપાઉન્ડમાં કારખાનાની બિલ્ડિંગના પહેલા માળે ઓનલાઇન કંપનીનું કામ ચાલી રહ્યું હતું. જ્યાં કામ કરી રહેલા 22 જેટલાં કર્મચારીઓને ફાયર બ્રિગેડ દ્વારા માંડમાંડ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા. જયારે કાટમાળ નીચે વધુ એક વ્યક્તિ હોવાની શંકાને પગલે ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી હતી. પરંતુ કાટમાળ નીચે કોઈ વ્યક્તિ મળી ન હતી. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, બિલ્ડિંગના માલિક ભાનુ ધાનાણીને પાલિકા દ્વારા અગાઉ પણ બે વખત નોટિસ આપવામાં આવી હતી. છતાં તેમની આ બેદરકારી દાખવતા મહિધરપુરા પોલીસ દ્વારા બે માલિકો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મૃતકના પરિવાર દ્વારા કરવામાં આવી ફરિયાદ: 
મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 28 વર્ષીય સમીર મતીઉલ્લાહ શેખના પરિવાર દ્વારા મરામતની કામગીરીમાં બેદરકારી હોવાનો આરોપ લગાવી ગુનો નોંધાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પાણી આપવા જતા નીપજ્યું મોત:
સુરત શહેરનાં કતારગામ વિસ્તારના કાસાનગર ખાતે રહેતો 21 વર્ષીય રોહિત રાજુ રાઠોડ પહેલા માળે પાણીની બોટલ ખાલી કરવા માટે ગયો હતો તે દરમિયાન દુર્ઘટના સર્જાતા 21 વર્ષીય રોહિત મોતને ભેટ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *