સુશાંત સિંહના નિધન પર દુઃખી થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કહ્યું…

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સુશાંત સિંહના નિધનથી તેઓને દુઃખ પહોંચ્યું છે. જણાવી…

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સુશાંત સિંહના નિધનથી તેઓને દુઃખ પહોંચ્યું છે. જણાવી દઈએ કે પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઈમાં જ પોતાના ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. તેઓ ૩૪ વર્ષના હતા. સુશાંત બોલિવૂડના ખૂબ લોકપ્રિય અભિનેતા હતા.

તેમના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું કે સુશાંત સિંહ રાજપૂત… એક ઉજ્જવળ યુવા અભિનેતા ખૂબ જલ્દી ચાલ્યા ગયા. તેમણે ટીવી અને ફિલ્મોમાં કામ કર્યું છે. મનોરંજનની દુનિયામાં તેમણે ઘણા લોકોને પ્રેરિત કર્યા છે અને તેઓ ઘણા યાદગાર રોલ આપણા માટે છોડી ગયા. હું તેમના મૃત્યુથી સ્તબ્ધ છું. મારી સંવેદનાઓ તેમના પરિવાર અને પ્રશંસકોની સાથે છે. ઓમ શાંતિ…

રિપોર્ટ અનુસાર, ઘટના સમયે સુશાંતના કેટલાક મિત્રો તેમના ઘરે જ હતા. તેમના રુમના દરવાજાને ત્યારે તોડવામાં આવ્યો જ્યારે સુશાંત ફાંસીના ફંદે લટકેલો જોવા મળ્યો. પોલીસના રિપોર્ટ અનુસાર છેલ્લા છ મહિનાથી તેઓ ડિપ્રેશનમાં હતા. તેમણે પોતાના કરિયરની શરૂઆત ટીવી એક્ટર તરીકે કરી હતી. સૌથી પહેલાં તેમણે ઇસ દેશ મેં હૈ મેરા દિલ નામના સિરિયલમાં કામ કર્યું હતું અને તેમને ઓળખ એકતા કપૂરના સીરીયલ પવિત્ર રિશ્તામાંથી મળી હતી. ત્યારબાદ તેમનો ફિલ્મનો સફર શરૂ થયો. તેઓ ફિલ્મ કાઈપો છે માં લીડ એક્ટર તરીકે નજર આવ્યા હતા અને તેમના અભિનયના વખાણ પણ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *