સુરત સ્વામીનારાયણ મંદિરના સમૂહલગ્નમાં ખોવાયેલા 3.50 લાખના દાગીના મૂળ માલિકને પરત કરતા શ્રમિકને 51 હજાર ઇનામ

સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(Surat)ના કતારગામ(Katargam) મૂર્તિબાગ સ્વામિનારાયણ મંદિર(Murtibagh Swaminarayan Temple)ના પ્રાંગણમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક પરિવારના કન્યાદાન માટેના 3.50 લાખના સોનાના ઘરેણાંવાળી પોટલી…

સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(Surat)ના કતારગામ(Katargam) મૂર્તિબાગ સ્વામિનારાયણ મંદિર(Murtibagh Swaminarayan Temple)ના પ્રાંગણમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક પરિવારના કન્યાદાન માટેના 3.50 લાખના સોનાના ઘરેણાંવાળી પોટલી ક્યાંક પડી ગઈ હતી, જે બાબતે પરિવારને જાણ પણ નહોતી.

જોકે, આ પેકેજ મૂળ ધારી તાલુકાના કુંડલી ગામના વતની પ્રજાપતિ સમાજના મગનભાઈ સોંડાગરને ગયું હતું. જેઓ વેડરોડ વિસ્તારમાં રહે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે પરિવારને પાછું શોધીને ઈમાનદારીનું ઉમદા ઉદાહરણ બેસાડ્યું છે.

આ સમારોહના આયોજકોએ મગનભાઈનું સન્માન કર્યું હતું. જોકે, સામાજિક અગ્રણી બાબુભાઈ વાઘાણીએ તેમને 51,000નું રોકડ ઈનામ આપ્યું હતું. CV ડાયમંડ એસો.ના પ્રમુખ અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા બાબુભાઈએ જણાવતા કહ્યું કે, આવા લોકોની પ્રામાણિકતાથી જ સામાજિક મૂલ્યો ટકે છે. આવા લોકોને માત્ર પુષ્પગુચ્છ આપીને વાહવાહી કરીએ એના કરતાં તેમને હંમેશા યાદ રહે એવું સન્માન આપવું જોઈએ. જે સમાજના આગેવાનો અથવા શ્રેષ્ઠીઓની ફરજમાં આવતું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *