અકસ્માતમાં કાળમુખા ટેમ્પોએ બે લોકોનો લીધો જીવ, હાઇવે પર જ તડપી તડપીને મોતને ભેટ્યા- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજકોટ-જૂનાગઢ હાઇવે(Rajkot-Junagadh Highway) પર ટેમ્પોએ બાઇકને અડફેટે લીધી હતી. આ ગમખ્વાર અકસ્માત(Accident)માં બે લોકોએ દર્દનાક મોત થયા છે. મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં બાઇક પર…

ગુજરાત(Gujarat): રાજકોટ-જૂનાગઢ હાઇવે(Rajkot-Junagadh Highway) પર ટેમ્પોએ બાઇકને અડફેટે લીધી હતી. આ ગમખ્વાર અકસ્માત(Accident)માં બે લોકોએ દર્દનાક મોત થયા છે. મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં બાઇક પર સવાર શૈલેસ નિતેશભાઈ ગોહેલ અને સુજેલ રૂપેશભાઈ ગોહેલના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યા છે. આ ગમખ્વાર અકસ્માત બાદ તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે, અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. જેના કારણે શૈલેસ નિતેશભાઈ ગોહેલ અને સુજેલ રૂપેશભાઈ ગોહેલના ઘટના સ્થળ મોત થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને માતમ છવાઈ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઇવે પર જેતલસર રેલવે ઓવરબ્રિજ નજીક આ દર્દનાક અકસ્માત સર્જાયો છે. છોટા હાથી ટેમ્પોએ બાઈક ચાલકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને મૃતકોને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અકસ્માત બાદ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો જોખમમાં મુકે છે સાથે અન્ય નિર્દોષ લોકોને પણ આનો ભોગ બનવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *