જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આંતકી હુમલો: કુલગામમાં ભાજપના નેતાની ગોળી મારીને કરવામાં આવી હત્યા

જમ્મુ -કાશ્મીરના કુલગામમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાની આતંકવાદીઓએ હત્યા કરી છે. ભાજપના નેતાનું નામ જાવેદ અહેમદ ડાર છે. જાવેદ કુલગામના હોમશાલીબાગ વિસ્તારમાં ભાજપના ચૂંટણી…

જમ્મુ -કાશ્મીરના કુલગામમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાની આતંકવાદીઓએ હત્યા કરી છે. ભાજપના નેતાનું નામ જાવેદ અહેમદ ડાર છે. જાવેદ કુલગામના હોમશાલીબાગ વિસ્તારમાં ભાજપના ચૂંટણી પ્રભારી હતા. છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદીઓ સતત ભાજપના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે.

નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આતંકવાદી ઘટનાની નિંદા કરી છે અને મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કર્યું છે કે, ‘કુલગામથી ખરાબ સમાચાર. જાવેદ અહમદની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. હું આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું અને જાવેદના પરિવાર અને સહયોગીઓ પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરું છું. અલ્લાહ તેમને સ્વર્ગમાં સ્થાન આપે. ‘

કાશ્મીર ભાજપના મીડિયા પ્રભારી મંઝૂર અહેમદે પણ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે ભાજપ કુલગામમાં હોમશાલીબાગના મતવિસ્તાર પ્રમુખ જાવેદ અહેમદ ડારની આતંકવાદીઓએ હત્યા કરી હતી. આ ખુબ જ દુખનીય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *