નબીરા તથ્ય પટેલનું વધુ એક કારસ્તાન આવ્યું સામે- ઓવર સ્પીડમાં સર્જ્યો ત્રીજો અકસ્માત, મંદિરના પિલરને પહોંચાડ્યું હતું નુકસાન

Thatya patel 6 month ago accident: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બેફામ કાર ચાલકએ 9 જીંદગીઓને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલના એક પછી એક અકસ્માતોના ખુલાસાઓ સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર કલોલ(Thatya patel 6 month ago accident) પાસે 6 મહિના પહેલા નબીરાએ એક અકસ્માત સર્જયો હતો. નવા વર્ષની રાત્રે કલોલ પાસે એક મંદિરમાં ગાડીને ભટકાડી દીધી હતી.

ઓવર સ્પીડમાં કાર ચલાવીને મંદિરના પિલરને નુકસાન પહોંચાડ્યું હતું. તારીખ 31મી ડિસેમ્બરની રાત્રિએ સાણંદ રોડ પર આવેલા બળિયાદેવ મંદીરના પિલરને તોડીને 20 હજારનું નુકસાન કર્યું હતું. આ મામલે વાસજડા ગામના સરપંચ જીવણજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી. નોધનીય છે કે તથ્ય પટેલે રિમાન્ડ દરમ્યાન ત્રીજા અકસ્માતની પણ વાત કબૂલી હતી.

આ મામલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ટક્કરના કારણે મંદિરનો એક ભાગ પણ નમી ગયો હતો. જે તે વખતે મંદિરને નુકસાન કરનાર ગાડી નંબર કે અન્ય માહિતી ના હોઇ ગામમાંથી કોઇએ ફરિયાદ કરી ન હતી. પરંતુ હાલમાં તથ્ય પટેલના કારનામાનાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા.જેમાં તથ્ય પટેલના મિત્રોએ ઉપરોક્ત મંદિરમાં પણ કાર ઘુસાડી દીધી હોવાનું નિવેદન આપ્યું હતું.

તો 15 દિવસ પહેલાં જ સિંધુભવન રોડ પર આવેલી એક રેસ્ટોરેન્ટની દિવાલ તોડી નાખી હતી, તે સમયે ડ્રાઈવિંગ સીટ પર તથ્ય પટેલ જ હતો અને તે કાર હંકારી રહ્યો હતો. ઘટનામાં તથ્ય અચાનક કારના સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવ્યું હતું અને કાર કાબુ બહાર જતા ધડાકાભેર રેસ્ટોરેન્ટની દિવાલને તોડી નાખી હતી. ત્યાર પછી ઝડપથી કારને રિવર્સ કરે છે અને કાર લઈને નાસી છૂટવામાં સફળ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *