ખેડામાંથી ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો- આત્મહત્યા કે હત્યા કારણ હજુ અકબંધ

ખેડા(ગુજરાત): હાલમાં રાજ્યના ખેડામાંથી એક ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે જેમાં કપડવંજ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલના પુલ પાસેથી એક અજાણ્યાં યુવકની લાશ પોલીસને મળી આવી હતી. આ અંગે આતરસુંબા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કપડવંજ તાલુકાના ચારણીયા પુલની મધ્યમાં કાર પાર્ક કરી યુવકે નહેરમાં ઝંપલાવ્યું હતું. આ વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતા ચકચાર મચી જવા પામી છે. જેને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. હોમગાર્ડ જવાનો દ્વારા કારમાં તપાસ કરવામાં આવતા કારમાંથી આઇડી પ્રૂફ અને લોહીના ડાઘ જોવા મળ્યા હતા.

આઇડી પ્રૂફમાં યુવક અમદાવાદનો રહેવાસી હોવાનો ઉલ્લેખ છે. જાણવા મળ્યું છે કે, યુવકનું નામ સંજય શર્મા છે. આ ઘટના આતરસુંબા પોલીસ મથકના હદ વિસ્તારની છે. હાલ આ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ, યુવકે આત્મહત્યા કરી છે કે હત્યા થઇ છે તે હજુ સુધી સામે આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *