હત્યા કે આત્મહત્યા: રાજકોટમાં એક કુવામાંથી વૃધ્ધની લાશ મળી આવતા મચી ચકચાર, એક કલાકની મહેનત બાદ બહાર કાઢી લાશ

રાજકોટ(ગુજરાત): હાલમાં રાજકોટમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોઠારિયા નજીક આવેલ મહિકા ગામ નજીક કુવામાંથી વૃધ્ધની લાશ મળી આવી હતી. જાણવા મળ્યું છે…

રાજકોટ(ગુજરાત): હાલમાં રાજકોટમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોઠારિયા નજીક આવેલ મહિકા ગામ નજીક કુવામાંથી વૃધ્ધની લાશ મળી આવી હતી. જાણવા મળ્યું છે કે, ગઇકાલે રાત્રે રાજકોટ ફાયરબ્રિગેડને મળેલ કોલના આધારે ફાયરબ્રિગેડની ટીમ મહિકા ગામ ખાતે પહોંચી વાળીમાં રહેલા કુવામાંથી એક કલાકની મહેનત બાદ વૃધ્ધની લાશ બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ આજીડેમ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, રાજકોટના કોઠારીયા નજીક આવેલ મહિકા ગામ ખાતે સવજીભાઇ ગજેરાની વાળી પાસે કુવામાં એક વૃધ્ધની લાશ પડી હોવાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચી એક કલાકની મહેનત બાદ મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જેની તપાસ કરતા સામે આવ્યું હતું કે, મૃતદેહ મહિકા ગામના જ ગોવિંદભાઇ મોહનભાઇ ભટ્ટીની હતી.

મૃતદેહને કુવામાંથી બહાર કાઢી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોટર્મ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, સમગ્ર બનાવ પાછળ કારણ હત્યા કે આત્મહત્યા છે તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *