કેટલાય દિવસથી બંધ ઓરડામાં આવતી હતી ભયંકર દુર્ગંધ, છેવટે પાડોશીઓએ રૂમમાં જઈને જોયું તો…

હાલમાં એક એવો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઘરમાંથી એક વ્યક્તિની લાશ મળી આવતા સનસનાટી ફેલાઇ છે. જાણવા મળ્યું છે કે, આ શરીર ઘણા…

હાલમાં એક એવો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઘરમાંથી એક વ્યક્તિની લાશ મળી આવતા સનસનાટી ફેલાઇ છે. જાણવા મળ્યું છે કે, આ શરીર ઘણા દિવસો જૂનું છે. તે વ્યક્તિ ITI કોલેજમાં વરિષ્ઠ પદથી નિવૃત્ત થયો હતો અને ઘરમાં એકલો રહેતો હતો. પોલીસ અને FSL ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી.

મૃતદેહ સડેલી હાલતમાં મળી આવ્યો હતો. ડેડ બોડીની હાલત જોઇને લાગે છે કે શરીર ઘણા દિવસો જૂનો છે. ઘણા દિવસોથી ઘરમાંથી દુર્ગંધ આવતી હતી. આસપાસના લોકો એકઠા થયા અને ઘર ખોલવાની કોશિશ કરી પરંતુ ઘર બધી બાજુથી બંધ હતું. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

જયારે પોલીસ અને અન્ય લોકો ઘરની છત પરથી કૂદી ગયા હતા ત્યારે બળદેવસિંહની લાશ પલંગ પર પડી હતી. ઘણા દિવસોથી ઘરે કોઈ હલન-ચલન જોવા મળી ન હતી. બલદેવસિંહ ત્યાં એકલા રહેતા હતા. જાણવા મળ્યું છે કે, તેની પત્ની અને એક પુત્ર અન્ય રાજ્યમાં રહે છે. બલદેવસિંહ ITI કોલેજમાંથી વરિષ્ઠ પદમાંથી નિવૃત્ત થયા હતા.

તે જ સમયે પોલીસે એફએસએલની ટીમને બોલાવી લાશને કબજે કરી તપાસ શરૂ કરી હતી. મૃત્યુનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ એક વૃદ્ધ વ્યક્તિ તેના પરિવારના લોકોથી દૂર હોવાને કારણે લોકો ઘણી પ્રકારની વાતો કરી રહ્યા છે. આ સાથે જ પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ મોતનાં કારણો જાહેર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *