પતિએ પોતાનો અભ્યાસ છોડીને પત્નીને ભણાવી અને નોકરી લાગતા પત્ની બીજા સાથે ભાગી ગઈ- જાણો છે આ બદનસીબ

પ્રેમના કારણે ઘણા લોકોની જિંદગી બરબાદ થઇ ગઈ છે અને આજે પણ પ્રેમમાં પાગલ આશીકો પોતાનું કામકાજ છોડીને આશિકી પાછળ પડ્યા રહે છે અને છેવટે એવો વારો આવે છે કે, આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. અહિયાં એવી જ એક ઘટના સામે આવી છે, જેના વિષે જાણી તમે ચોંકી ઉઠશો. અહિયાં એક પતિએ પત્નીને ભણાવવા પોતાનું જ ભણતર બંધ કરી દીધું હતું અને પત્નીને ભણાવવાનું નક્કી કર્યું હતું, અને છેવટે પત્નીને સારી નોકરી લગતા પત્નીએ બીજા લગ્ન કરી લીધા હતા.

મળેલી માહિતી અનુસાર આ ઘટના મધ્યપ્રદેશના વિદિશા તાલુકાની છે. અહિયાં એક પતિએ પત્નીને ભણાવવા માટે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો, અને છેવટે પત્નીએ જ પતિને છોડી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પત્નીએ હવે બીજા લગ્ન પણ કરી લીધા છે. આ વાત પર પત્નીએ જણાવતા કહ્યું હતું કે, મારો પતિ કઈ કામધંધો કરતો નથી અને આ કારણે મારે તેનો છોડવો પડ્યો. સાથે-સાથે પત્નીએ જણાવતા કહ્યું છે કે, તે બીજા લગ્ન કરવા નહિ પરંતુ સારી નોકરી કરવા માટે ગઈ હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બંને યુવક અને યુવતી સાથે જ કામ કરતા હતા. અને આ કામમાં બંને વચ્ચે પ્રેમ ક્યારે બંધાયો તેની તેને જ ખબર નહોતી રહી. અને ત્યારબાદ યુવક અને યુવતીએ લગ્ન પણ કરી લીધા હતા. લગ્ન પછી પતિએ જે કર્યું એતો આજના જમાનામાં કોઈ ના કરી શકે. પતિએ પોતાનો અભ્યાસ છોડીને તેની પત્નીને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. અને કિસ્મતથી પત્નીને સારી નોકરી પણ લાગી ગઈ. અને સારી નોકરી હાથમાં આવતા જ પત્નીએ પતિને પડતો મુકીને બીજા સાથે લગ્ન કરી લીધા હતા. મળેલી માહિતી અનુસાર હાલ પત્નીએ પતિ પાસેથી સારસંભાળની માંગ કરી છે.

આ યુવકે કાઉન્સેલિંગ સેન્ટરમાં અરજી કરી છે અને કહ્યું છે કે તેણે થોડા વર્ષો પહેલા તેની સાથે કામ કરતી યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેણે પોતાનો અભ્યાસ બંધ કરી દીધો છે અને પત્નીને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું.. આ વિષય પર, તે કહે છે કે આ શિક્ષણ પર, તેની પત્નીએ યોગ્ય લાયકાત મેળવી હતી અને તેને નોકરી મળી હતી. જોકે, આ દરમિયાન તેની અને તેની પત્ની વચ્ચેના સંબંધો સતત બગડતા રહ્યા. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ઘણી વખત તુચ્છ બાબતોને લઈને વિવાદ થતો હતો. પતિએ તેના ભાગની દરેક વાતો જણાવી અને કહ્યું કે હવે તેની પત્ની તેને છોડીને ભાગી ગઈ છે. પતિ કહે છે કે બંને વચ્ચે છૂટાછેડા નથી થયા, પરંતુ તેની પત્નીએ બીજા લગ્ન કર્યા છે. પતિએ કહ્યું છે કે તે તેની પત્નીથી તેના છૂટાછેડા થઇ જાય.

કાઉન્સેલર મદનકિશોર શર્મા અને કિરણ નિગમે પતિ-પત્નીને ફોન કરીને આખા મામલાની ચર્ચા કરી હતી, જેમાં બહાર આવ્યું હતું કે પતિ કામ કરતો નથી અને આ જ કારણ છે કે બંને વચ્ચે ઘણી વાર તણાવપૂર્ણ વાતાવરણ રહેતું હતું. આના પર પત્નીનું કહેવું છે કે જ્યારે તણાવ અને વિવાદ વધતો ગયો ત્યારે તે ભોપાલ ગઈ અને ત્યાં જ કામ કરવા લાગી હતી, પરંતુ પતિએ પણ અહીં તેમનો સાથ આપ્યો ન હતો. પત્ની કહે છે કે ત્યાં ભોપાલમાં રહેતી વખતે તેની ઓળખ એક યુવક સાથે થઈ જેણે કહ્યું કે તે તેને અને તેના બાળકને દત્તક લેશે.

કાઉન્સેલરએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પત્નીએ જે બીજા યુવક સાથે લગ્ન કર્યા છે એ કોઈ મોટો અધિકારી તો નથી પરંતુ તેણે તેની સાથે જીવન જીવવાનું નક્કી કરી નાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *