પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા જગત મંદિરનું નવીનીકરણ કરવામાં આવશે- પુરાતત્વ વિભાગનો મહત્વનો નિર્ણય  

સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાનાં જગતમંદિરનું બાંધકામ અંદાજે સાડા પાંચ હજાર વર્ષ પૂર્વેનું માનવામાં આવે છે.જગતમંદિરનું બાંધકામ એ સદિઓ જુનું તથા પૌરાણિક બાંધકામ હોવાથી વર્ષ 2001માં આવેલ…

સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાનાં જગતમંદિરનું બાંધકામ અંદાજે સાડા પાંચ હજાર વર્ષ પૂર્વેનું માનવામાં આવે છે.જગતમંદિરનું બાંધકામ એ સદિઓ જુનું તથા પૌરાણિક બાંધકામ હોવાથી વર્ષ 2001માં આવેલ ભુકંપ અને દરિયાઇ ખારાશને કારણે મંદિરના પથ્થરો પણ હાલમાં નબળા થયા છે.મંદિરનાં સ્તંભ અને મથાળા સહિતના પથ્થરો પણ નબળા થયા હોવાથી મંદિરનો જિર્ણોધ્ધાર કરવો જરૂરી લાગી રહ્યું છે.

રવિવારનાં રોજ પુરાતત્વ વિભાગ વડોદરાની ટીમ સર્વે કરવાં માટે દ્વારકા આવી પહોંચી હતી.સર્વે કરીને સરકારમાંથી મળેલ સુચના મુજબ આગામી સમયમાં પણ મંદિરનો જિર્ણોધ્ધાર કરવામાં આવશે, તેવું ટીમ દ્વારા જણાવાયું હતું.દ્વારકાનું જગતમંદિર પણ લગભગ સાડા પાંચ હજાર વર્ષ પૂર્વેનું પ્રાચિન મંદિર આવેલ છે.

દ્વારકાનું ખારાશવાળુ હવામાન, ભેજવાળી હવાની ઉપરાંત વર્ષ 2001 માં આવેલ ભુકંપે દ્વારકા જગત મંદિરના માળખાને મહદઅંશે ક્ષતિ પહોચાડી છે. મંદિરના સ્તંભ તથા બીજી માળખા જર્જરીત થયા હોવાથી જીન્નોદ્વાર કરવાની જરૂરિયાત ઉભી થઇ રહી છે.

રવિવારનાં રોજ પુરાતત્વ વિભાગ બરોડાની ટીમના સુપ્રિટેન્ડન્ટ શિવ કુમાર અને તેમની ટીમ દ્વારકાનાં જગત મંદિરનો સર્વે કરવા માટે આવી પહોચી હતી.મંદિર પરિસરમાં આવેલ જગત મંદિરની સાથે જ બીજાં મંદિરનો પણ સર્વે હાથ ધર્યો હતો. રીપોર્ટ બનાવીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આપવામાં આવશે એવું સર્વેની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું.વડી કચેરીની સુચના અનુસાર જિર્ણોધ્ધારનું કામ પણ શરૂ કરવામાં આવશે.

બરોડા પુરાતત્ત્વ વિભાગનાં સુપરીટેન્ડ શિવકુમાર અને ટીમ દ્વારા આજે જ સર્વે કરવામાં આવ્યો છે.રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે ત્યારબાદ મંજુરી મળતા જ કામ શરૂ કરવામાં આવશે.પૌરાણિક ડીઝાઇનને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવશે.

જગતમંદિર પૌરાણિક બાંધકામથી બંધાયેલ મંદિર છે. પુરાતત્વ વિભાગ દ્વારા પથ્થરો નબળા થતા જ જીર્ણોધ્ધાર કરવામાં આવશે પણ મંદિરની ડિઝાઇનમાં કોઇપણ જાતનો બદલાવ કરવામાં આવશે નહીં. સરકારમાંથી પરવાનગી મળ્યા પછી જગતમંદિરની ડિઝાઇન યથાવત પરિસ્થિતિમાં જ રહેશે, મંદિરના પથ્થર અને નબળા પડેલ સ્તંભનો જિર્ણોધ્ધાર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *