દીકરી પર બે વાર દુષ્કર્મ થયાની જાણ થતા, મજબુર પિતાએ કરી લીધો આપઘાત

હાલના સમયમાં બધા રાજ્યમાં દુષ્કર્મનાં બનાવ સતત વધી રહ્યા છે. જાણે નરાધમોને કાયદો તેમજ પોલીસનો ડર ન રહ્યો હોય તેમ લાગે છે. આ સમયમાં જામજોધપુરનાં…

હાલના સમયમાં બધા રાજ્યમાં દુષ્કર્મનાં બનાવ સતત વધી રહ્યા છે. જાણે નરાધમોને કાયદો તેમજ પોલીસનો ડર ન રહ્યો હોય તેમ લાગે છે. આ સમયમાં જામજોધપુરનાં વરવાળા તાલુકાનાં કુતિયાણા પંથકમાં એક દીકરીને છ મહિનામાં તેની ઉપર બે વાર બળાત્કાર થયું હોવાની વાત તેના પિતાને કહેતા પિતાએ ઝેરી દવા પીઈ લીધું હતું. પિતા તેની દીકરી પર દુષ્કર્મ થયું હોવાની વાત સહન કરી શક્યા નહિ આથી તેમણે આપઘાત કરી લીધો અને એ પછી દીકરીએ તેની હિંમત બતાવીને બળાત્કાર કરનાર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.

રિપોર્ટ મુજબ જામજોધપુર તાલુકામાં આવેલાં વડવાળા ગામમાં રહેતી એક દીકરી દ્વારા તેનાં પિતાને જણાવવામાં આવ્યું હતું કે, છ માસ અગાઉ કુતિયાણા પંથકમાં રહેતાં અશ્વિન વાઢીયા નામનાં ઈસમે ચપ્પુ બતાવીને તેને ડરાવી તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. અશ્વિને બળાત્કાર કર્યા પછી ભાઈ તેમજ પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. એક વખત બળાત્કાર કર્યા પછી અમુક દિવસો પછી પાછો નરાધમ દ્વારા બીજી વાર બળાત્કાર કરવામાં આવ્યો હતો. અશ્વિન વાઢીયા નામનાં નરાધમનો ત્રાસ સહન ન કરવો પડે તે માટે સગીરા દ્વારા પોતાનાં પિતાને આખા બનાવની જાણ કરવામાં આવી હતી. દીકરી ઉપર બે વાર બળાત્કાર થયો હોવાની વાત સાંભળતા જ તેના પિતા માનસિક તણાવમાં આવી ગયા.

માનસિક તણાવમાં આવેલા પિતા દ્વારા ઝેરી દવા પીઈને આપઘાતનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ બાબતની વાતની જાણ થતાં સગીરાનાં પરિવારો દ્વારા સગીરાનાં પિતાને તરત ઉપલેટા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપલેટાની હોસ્પિટલમાંથી વધારે સારવાર માટે જામનગર જીલ્લાની જી.જી.હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સગીરાનાં પિતાનું સારવારમાં 30 સપ્ટેમ્બરનાં દિવસે મોત થયું હતું. આ આખા બનાવ બાબતે જામજોધપુર પોલીસએ આપઘાતનો ગુનો નોંધીને આગળની તપાસની કાર્યવાહી ચાલુ કરી હતી.

જામજોધપુર પોલીસને આખી ઘટના બબાતે ઊંડાણપૂર્વક તપાસ કરવાથી જાણવા મળ્યું હતું કે, આખી ઘટના બળાત્કારની છે. જેના લીધે પોલીસ દ્વારા અશ્વિન વાઢીયા નામનાં ઈસમ સામે પોકસો તેમજ 376-2નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસની આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.

નોંધપાત્ર વાત એ છે કે, અમુક દિવસ અગાઉ જ જામનગરનાં યાદવ નગરમાં 17 વર્ષીય સગીરા પર 4 નરાધમો દ્વારા સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસ દ્વારા આખા બનાવે ચાર નરાધમો સામે ગુનો નોંધીને ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે આ બનાવ પછી જામજોધપુરમાં દીકરી પર બળાત્કાર થવા બનાવની જાણ થતાં પિતાએ ઝેરી દવા પીઈને આપઘાત કરતા સમગ્ર રાજ્યમાં હલચલ મચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *