મુશ્કેલ ઘડીએ વ્હારે આવ્યું ભારત- ઑક્સીજન એક્સપ્રેસ પ્રાણવાયુ લઈને બાંગ્લાદેશ માટે થઇ રવાના

ભારત: સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. આ દરમિયાન, ભારત સહિત આખા વિશ્વમાં કોરોના વાયરસનાં કારણે અનેક લોકો મોતનો સામનો કરી રહ્યા છે. ત્યારે વાયરસનાં કારણે અનેક દર્દીઓનાં શ્વાસ પણ રૂંધાયા છે.

આ ઉપરાંત, બીજી લહેર દરમિયાન ભારતમાં પણ ઑક્સીજનને લઈને ગંભીર સ્થિતિ ઊભી થઈ હતી ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઑક્સીજન એક્સપ્રેસ દ્વારા ખૂબ મદદ મળી હતી ત્યારે હવે આ જ ઑક્સીજન એક્સપ્રેસ ભારતનાં પડોશી દેશો માટે પણ મદદરૂપ સાબિત થઈ રહી છે.

રેલમંત્રીએ કહ્યું કે, આપણી સંસ્કૃતિ “વસુધૈવ કુટુંબકમ”ને ધ્યાનમાં રાખતા પીએમ નરેન્દ્ર મોદીની લીડરશીપ હેઠળ ભારતીય રેલવે કોરોના વાયરસ મહામારી સામે માનવતાને મદદ માટે કામ કરી રહી છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, આજે સવારે પહેલી ઑક્સીજન એક્સપ્રેસ 200 મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઑક્સીજન લઈને ઑક્સીજન એક્સપ્રેસ બાંગ્લાદેશ માટે રવાના થઈ છે.

ભારતભરમાં ઑક્સીજન પહોંચાડવાનું કામ કરતી ઑક્સીજન એક્સપ્રેસ આજે પ્રાણવાયુ લઈને બાંગ્લાદેશ માટે રવાના થઈ છે. આ ઉપરાંત, રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા વીડિયો ટ્વીટ કરીને તે અંગે જાણકારી પણ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *