હવામાન વિભાગની વધુ એક મોટી આગાહી: અરબી સમુદ્રમાં બની રહ્યું છે ચક્રવાતી તોફાન- ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા

Storm is coming towards Gujarat: ભારતીય હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું છે કે, દક્ષિણ-પૂર્વ અને નજીકના દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર દબાણ વિસ્તારમાં ફેરવાઈ ગયો…

Storm is coming towards Gujarat: ભારતીય હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું છે કે, દક્ષિણ-પૂર્વ અને નજીકના દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર દબાણ વિસ્તારમાં ફેરવાઈ ગયો છે, જેનાથી તારીખ 21 ઓક્ટોબરની એટલે કે આજે સવારે ચક્રવાતી તોફાનની સંભાવના વધી છે. આ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું ચક્રવાતી તોફાન હશે.

હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતી વાવાઝોડાના નામકરણની ફોર્મ્યુલા અનુસાર તેનું નામ ‘તેજ’ રાખવામાં આવ્યું છે. જો કે, વૈશ્વિક હવામાન આગાહી કહે છે કે આ વાવાઝોડું અરબી સમુદ્રમાં છે અને તે પાકિસ્તાન અને ગુજરાતના દરિયાકાંઠે તેનો રસ્તો બદલી શકે છે. આ ચક્રવાતી તોફાનમાં 62-88 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની ભીતિ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ ચક્રવાતી તોફાન રવિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને દક્ષિણમાં ઓમાન અને યમનના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. જો કે, હવામાન વિભાગે પોતાની આશંકા વ્યક્ત કરી છે કે આ વાવાઝોડું પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપરજોયની જેમ પોતાનો માર્ગ બદલી શકે છે.

મળતી માહિતી અનુસાર બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનું હતું પરંતુ તે તેની દિશા બદલીને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચીના કિનારે ટકરાયું હતું. અત્યાર સુધી એવા સંકેતો મળી રહ્યા છે કે ચક્રવાતી તોફાન યમન-ઓમાનના દરિયાકાંઠે જ ટકરાશે.

આ તારીખોમાં થશે વરસાદ 
મળતી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગમા હળવો વરસાદ પડી શકે છે. તારીખ 21મીથી આ વધારે મજબૂત બની શકે છે. તારીખ 22, 23 અને 24માં ભારે ચક્રવાતના સંજોગો ઉભા થશે અને સિવિયર એક સાયક્લોન બનશે. જેના કારણે અરબી સમુદ્રમાં મોટો ઘેરાવો બની શકે છે. આ ઘેરાવાને કારણે તારીખ 21થી 23માં સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *