બજેટ 2022-23 LIVE અપડેટ: સરકારે સામાન્ય જનતા માટે ખોલ્યો પટારો, 80 લાખ પરિવારોને મળશે સસ્તા મકાનો

બજેટ 2022-23(Budget 2022-23): નાણામંત્રી નિર્મલા સીતારમણે(Nirmala Sitharaman) લોકસભામાં નાણાકીય વર્ષ 2022-23 માટે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ તેમનું ચોથું બજેટ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પછી નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા હતા. ત્યાં કેબિનેટ દ્વારા પણ બજેટને મંજૂરી આપી દેવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં પેપરલેસ બજેટ વાંચવાનું શરૂ કર્યું છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, 2022-23માં 80 લાખ પરિવારોને પોસાય તેવા મકાનો મળશે. સરકાર એફોર્ડેબલ હાઉસહોલ્ડ સ્કીમ માટે લાભાર્થીઓની ઓળખ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી હતી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું કે, નાણાકીય વર્ષ 2022-23માં પીએમ આવાસ યોજના માટે 48 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. આ યોજનાને લોકો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરશે. નાણામંત્રીએ કહ્યું કે પીએમ આવાસ યોજના હેઠળ ફાળવણીની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. પીએમ આવાસ યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા 48000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

નાણામંત્રીએ કહ્યું કે, 2022-23માં પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાનો બનાવવામાં આવશે અને આ યોજના હેઠળ 48000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના એ એક સરકારી યોજના છે જે હેઠળ નબળા આવક જૂથના તમામ લોકો અથવા પરિવારોને પાકાં મકાનો આપવાના છે. આ માટે અલગ-અલગ પાત્રતાની શરતો છે, જે અંતર્ગત લાભ આપવામાં આવે છે. આ યોજના શહેરી અને ગ્રામીણ માટે લાગુ કરવામાં આવી છે. ગયા વર્ષે, સરકારે જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણનો લાભ માર્ચ 2024 સુધી મળતો રહેશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આગામી 5 વર્ષમાં 60 લાખ નોકરીઓનું સર્જન થવાની સંભાવના છે. શિક્ષણ ક્ષેત્રે એક મોટી જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે પીએમ ઇવિદ્યાના કાર્યક્રમ ‘વન ક્લાસ, વન ટીવી ચેનલ’ હેઠળ ટીવી ચેનલોની સંખ્યા 12 થી વધારીને 200 કરવામાં આવશે. આ સાથે તમામ રાજ્યોને ધોરણ 1 થી 12 સુધી પ્રાદેશિક ભાષાઓમાં પૂરક શિક્ષણ આપવાની સુવિધા મળશે.

આ સિવાય નાણામંત્રીએ કહ્યું કે, સરકાર 2022-23માં ભવિષ્યની ટેકનોલોજી સાથે ઈ-પાસપોર્ટ જારી કરશે. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) માર્ચ 2023 સુધી લંબાવવામાં આવશે, ગેરંટી કવર રૂ. 50,000 કરોડથી વધારીને કુલ રૂ. 5 લાખ કરોડ સુધી પહોંચાડશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સ્વાસ્થ્ય માળખામાં સુધારો થયો છે. સબકા પ્રાર્થના સાથે અમે મજબૂત પ્રગતિ સાથે અમારી યાત્રા ચાલુ રાખીશું. બજેટમાં આગામી 25 વર્ષ માટે અર્થવ્યવસ્થા પર ફોકસ છે.

નેશનલ હાઇવેને 25000 કિલોમીટર સુધી લંબાવવામાં આવશે. રેલ્વે નવા ઉત્પાદનો બનાવશે, અને નાના ખેડૂતો અને MSME માટે નવા ઉત્પાદનો બનાવશે. 1 સ્ટેશન 1 પ્રોડક્ટને લોકપ્રિય બનાવવામાં આવશે જેથી સ્થાનિક સુલ્પી સાંકળ મજબૂત બને. 400 વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવશે. વંદે ભારત ટ્રેનો આગામી ત્રણ વર્ષ માટે નવી બનાવવામાં આવશે. મલ્ટી મોડલ કાર્ગો બનાવવામાં આવશે. મેટ્રો સિસ્ટમની ડિઝાઇનને ભારત માટે માનક બનાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *