એવું તો શું થયું કે, ચાર-ચાર સંતાનોની માતાને તેના જ પતિએ કુહાડીના ઘા જીંકી મોતને ઘાટ ઉતારી

અરવલ્લી(ગુજરાત): રાજ્યમાં અવારનવાર હત્યા(Murder)માં બનાવો બની રહ્યા છે. તેવામાં અરવલ્લી જિલ્લા(Aravalli District)માં 4 સંતાનોની માતા પર પુરુષ સાથેના આડા સંબધના વહેમમાં પતિએ હત્યા કરી હોવાનો…

અરવલ્લી(ગુજરાત): રાજ્યમાં અવારનવાર હત્યા(Murder)માં બનાવો બની રહ્યા છે. તેવામાં અરવલ્લી જિલ્લા(Aravalli District)માં 4 સંતાનોની માતા પર પુરુષ સાથેના આડા સંબધના વહેમમાં પતિએ હત્યા કરી હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાયડના અહમદપુરા ગામ(Ahmedpura village of Byad)માં પતિએ ઉંઘમાં જ પત્નીને માથાના ભાગે કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. જો કે ઘટનાની જાણ થતા જ સાઠંબા પોલીસ(Sathamba police) ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ મૃતદેહને કબજો લઈને તેને પીએમ(PM) માટે હોસ્પિટલ(Hospital) ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ સાઠંબા પોલીસે મૃતકના જેઠની ફરિયાદના આધારે પતિ માધુસિંહ(Madhusinh) વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.

જાણવા મળ્યું છે કે, સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અહમદપુરા ગામે એક શ્રમિક પરિવારમાં માલપુરના ખાલીકપુરની ઇન્દુબેન પરમારને ગામના માધુસિંહ પરમાર સાથે 25 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમના સુખી સંસારથી તેમને ત્રણ પુત્ર અને સૌથી મોટી પુત્રી એમ ચાર સંતાનો હતા. મોટી દીકરીના લગ્ન પણ થઈ ગયા છે. તે દરમિયાન અચાનક માધુસિંહ પરમારના મનમાં તેમની પત્ની પર પુરુષ સાથેના આડા સંબંધો હોવાનો ભાસ થયો હતો. જેના લીધે દરરોજ બંને વચ્ચે ઝઘડા થતા હતા.

આ દરમિયાન મોટી ઉંમરના સંતાનો હોવા છતાં માધુસિંહએ તેમની પત્ની પર તેનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો હતો. ગઈ કાલે રાત્રીના સમયે માધુસિંહ પરમાર અને સંતાનો સહિતના પરિવારજનો ઘરમાં સુઈ રહ્યા હતા. તેવામાં અડધી રાતે માધુસિંહના મનનો પત્ની પ્રત્યેનો વહેમ ખૂબ જ વધી ગયો હતો. તેને કારણે ઘરમાં પડેલી કુહાડી જેવું તીક્ષ્ણ હથિયાર લઈ ઘરમાં ખાટલામાં સુતેલી પત્નીના માથામાં ઘા જીકીને ઇન્દુ બેનની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને અંજામ આપ્યા પછી માધુસિંહ ભાગી ગયા હતા.

આ ઘટના સમયે ઘરના સંતાનો જાગી જતા આસપાસના સગા-સબંધીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી. તેમને સાઠંબા પોલીસને આ અંગે જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા સાઠંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ મૃતદેહનને મૃતદેહને પીએમ માટે મોકલીને મૃતકના જેઠની ફરિયાદના આધારે હત્યારા પતિ માધુસિંહ વિરુધ હત્યાનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *