પ્રેમસંબંધોનો આવ્યો કરુણ અંત: પતિએ ગળેફાંસો જયારે પત્નીએ પોતાની જાતને આગ ચાંપીને કરી લીધો આપઘાત

મધ્યપ્રદેશ: ભોપાલ (Bhopal) ના ટીટીનગર વિસ્તાર (Titinagar area) માં પત્ની (Wife) ની બેવફાઈથી હેરાન યુવકે ગુરુવારની રાત્રે ગળેફાંસો (Throat) ખાઈ લીધો હતો. પતિના મોતના સમાચાર…

મધ્યપ્રદેશ: ભોપાલ (Bhopal) ના ટીટીનગર વિસ્તાર (Titinagar area) માં પત્ની (Wife) ની બેવફાઈથી હેરાન યુવકે ગુરુવારની રાત્રે ગળેફાંસો (Throat) ખાઈ લીધો હતો. પતિના મોતના સમાચાર મળતાં શુક્રવારની સવારે ઘરે આવેલ પત્નીએ પેટ્રોલ છાંટીને પોતાના શરીર પર આગ ચાંપી દીધી હતી. અહીં પણ સારવાર દરમિયાન તેનું મોત (Death during treatment) થયું હતું.

પોલીસ દ્વારા યુવકની પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે કે, જેમાં તેણે પત્નીના આશિક (સાગર બાબા) માટે લખ્યું છે કે, તેણે સાગર બાબાને પગે લાગીને પત્ની તથા બાળકને મળવા માટે આજીજી કરી હતી પણ તે માન્યો નહીં. સાગર બાબાએ જીવન નષ્ટ કરી નાખ્યું હતું. હું પત્ની, સાગર બાબાને લીધે આપઘાત કરી રહ્યો છું.

જૈન મંદિરની સામે આવેલ કોલોનીમાં રહેતો 26 વર્ષનો અક્ષય સોમકુંવર ઉર્ફે ગોલુ બલ્લભ ભવનમાં લિફ્ટ ઓપરેટર હતો. ગુરુવારની રાત્રે રાત્રિ ભોજન કર્યા બાદ તે રૂમમાં ગયો હતો. રાત્રે અંદાજે 12.30 વાગ્યાનાં સુમારે તેની માતા કુસુમબાઈએ જોયું હતું કે, અક્ષય ગળેફાંસી ખાઈને લટકી રહ્યો છે.

કુસુમબાઈએ તરત જ પાડોશીઓની મદદથી તેને હોસ્પિટલમાં સારવાર માટે પહોચાડ્યો હતો. અહીંના ડોકટરો દ્વારા અક્ષયને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન શુક્રવારની સવારે અક્ષયની પત્ની સુધાને પતિના મોતની જાણ થઈ હતી. તેઓ ઘરે પહોંચીને અગાસી પર ગયા કે, જ્યાંથી તે પેટ્રોલ લઈને પોતાની જાતને આગ ચાંપી દીધી હતી.

દીકરાને પણ આગ ચાંપવાનો પ્રયત્ન કર્યો હતો:
સુધા પોતાને આગ લગાવ્યા પછી પોતાના 4 વર્ષીય દીકરાને પણ આગ લગાવવા માંગતી હતી. પરિવારજનોએ માંડ દીકરાને ખેંચીને બચાવ્યો હતો. અક્ષયના ભાઈ નિલેશ જણાવે છે કે, સુધાને લીધે જ તેના ભાઈએ આપઘાત કર્યો છે. ભાઈએ સુસાઇડ નોટમાં સુધાના બોયફ્રેન્ડનો પણ ઉલ્લેખ કર્યો છે પણ પોલીસે પરિવારને સુસાઇડ નોટ વાંચવા દીધી ન હતી.

મિત્રતા કરીને પત્ની સાથે સંબંધો વધાર્યા:
અક્ષય-સાગર બંને મિત્રો હતા. અક્ષય મારફતે જ તેની પત્ની સાથે મુલાકાત થઈ હતી. થોડા દિવસ બાદ સાગર તથા સુધા વચ્ચે નિકટતા વધતા અક્ષયને શંકા જતા તેણે પત્ની સાથે વાત કરી તો તેને હેરાન કરવા લાગી હતી. અક્ષય જ્યારે પણ આ અંગે વાત કરવા માગતો ત્યારે સુધા અક્ષયને સાગરનું નામ આપીને ધમકાવતી હતી.

7 ઓક્ટોબરે અક્ષયને છોડીને જતી રહી:
અક્ષયે વર્ષ 2014માં સુધા શુક્લા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમનો 4 વર્ષીય દીકરો પણ છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સુધાનો પ્રેમસંબંધ એ વિસ્તારના સાગર નામના યુવક સાથે શરૂ થયો હતો. અક્ષય આ વાતથી નારાજ હતો. સુધા 7 ઓક્ટોબરે બાળકને સાગરની સાથે ઘરેથી લઈ ગઈ હતી. તે તેની સાથે પંચશીલ નગરમાં રહેતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *