પત્નીનું મોત સહન ન થતા સળગતી ચિતામાં કુદી પડ્યો પતી અને પછી જે થયું…

હૃદયને હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. જેતપુર નગર (Jetpur Nagar)ના મોહલ્લા બાયપાસમાં પરિણીત મહિલાનું મોત થયું હતું. પત્નીનું મોત પતિથી સહન થઈ શક્યું…

હૃદયને હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. જેતપુર નગર (Jetpur Nagar)ના મોહલ્લા બાયપાસમાં પરિણીત મહિલાનું મોત થયું હતું. પત્નીનું મોત પતિથી સહન થઈ શક્યું નહોતું. તેથી પત્નીના અંતિમ સંસ્કાર દરમિયાન પતિ બ્રિજેશે સળગતી ચિતામાં કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળ પર હાજર લોકોએ તેને બચાવી લીધો. બ્રિજેશ સામાન્ય રીતે દાઝી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બ્રિજેશને હોસ્પિટલમાં સારવાર અપાવી હતી. પતિનું આ કૃત્ય જોઈને સૌની આંખોમાં આંસુ આવી ગયા. ગાળામાં દોરડું હોવાને કારણે મૃતકની માતાએ સાસરિયાઓ પર દહેજના કારણે હત્યાનો આરોપ લગાવ્યો છે.

વાસ્તવમાં, અજનાર પોલીસ સ્ટેશનના અકૌના ગામના રહેવાસી રામરતને તેની પુત્રી ઉમા (23) ના લગ્ન જેતપુર શહેરના રહેવાસી બ્રિજેશ કુશવાહ સાથે વર્ષ 2016માં કર્યા હતા. તેના સાસરીયાઓ તેને દહેજની માંગણી માટે માર મારતા હતા. ગુરુવારે રાત્રે ઉમાનો મૃતદેહ બેડરૂમમાં ફર્શ પર પડ્યો હતો અને તેના ગળામાં દુપટ્ટાની ફાંસી બાંધેલી હોવાથી આ ઘટનાને શંકાસ્પદ માનવામાં આવી રહી છે.

મૃતક ઉમાની માતા તેજ કુંવરે જણાવ્યું કે, એક સપ્તાહ પહેલા પૈસાની માંગણીને લઈને તેની પુત્રી પર હુમલો કરવામાં આવ્યો હતો. તેથી તેમણે જમાઈને ઘરે બોલાવીને પરિવારના સભ્યો પાસેથી પૈસા ભેગા કરી 70 હજાર રૂપિયા આપ્યા હતા. પતિનું કહેવું છે કે, દહેજ માંગવાનો આરોપ પાયાવિહોણો છે. પૂછપરછ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મળતી માહિતી અનુસાર, મૃતકને ત્રણ વર્ષનો પુત્ર કામેશ છે. માતાના મૃત્યુ બાદ માસુમ બાળકની હાલત ખુબ જ ખરાબ છે. બીજી તરફ કોતવાલી પ્રભારી ઉમેશ કુમારનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસીથી મોતની પુષ્ટિ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *