ભારતીય સેનામાં જોડાઈ ન શક્યા તો, પીઠ પર દરેક શહીદ થતા જવાનોના નામના ટેટૂ કરાવ્યા

રાજસ્થાન: અલવર જિલ્લાના શાહજહાંપુર નજીકના લામચપુર ગામના રહેવાસી મુકેશ સિંહે તેની પીઠ પર શહીદોના નામ લખાવ્યા છે. તેમને અત્યાર સુધીમાં 62 શહીદોના નામ લખવી ચુક્યા…

રાજસ્થાન: અલવર જિલ્લાના શાહજહાંપુર નજીકના લામચપુર ગામના રહેવાસી મુકેશ સિંહે તેની પીઠ પર શહીદોના નામ લખાવ્યા છે. તેમને અત્યાર સુધીમાં 62 શહીદોના નામ લખવી ચુક્યા છે. મુકેશ પોતે લશ્કરમાં જોડાવા માંગતો હતો, પરંતુ તે થઇ શક્યો નહીં.

જયપુરની એક હોટલમાં મેનેજર તરીકે કામ કરતા મુકેશ સિંહે જણાવ્યું હતું કે, તેના કાકા પણ ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયા હતા. જયપુરના અમર જ્યોતિ જવાન શહીદ સ્મારકમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપતી વખતે, તેમણે નક્કી કર્યું હતું કે, તેમની પીઠ પર શહીદોના નામ લખવામાં આવશે. તેણે આ કરી બતાવ્યું હતું. હવે તેની પીઠ પર 62 શહીદોના નામ છે. આમાંથી મોટાભાગના શહીદો અલવર, ઝુનઝુનુ સહિત રાજ્યના છે.

મુકેશ સિંહે જણાવ્યું હતું કે, તેમને 1971 માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા 56 સૈનિકો અને પડોશી ગામ કુટિન્નાના ત્રણ શહીદો સહિત 6 અન્ય શહીદોના નામ લખાવ્યા છે. ખેડૂત પરિવારમાં જન્મેલો મુકેશ સિંહ ચૌહાણ ચાર ભાઈઓમાં સૌથી નાનો છે. તેમના કાકા શહીદ હનુમાન સિંહ ચૌહાણ પણ 7 મી રાજપૂતાના રાઇફલ રેજિમેન્ટમાં શહીદ થયા હતા. શહીદ દિવસ નિમિત્તે 10 ડિસેમ્બર, 2009 ના રોજ, તેમણે તેમની કાકા સહિત 56 શહીદોના નામ તેમની પીઠ પર લખેલા હતા. મુકેશના કાકા 1971 માં શહીદ થયા હતા.

મુકેશ સિંહ ચૌહાણનું નામ 2013 માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ છે. ચૌહાણ કહે છે કે, દેશના શહીદોને સામાન્ય રીતે ફક્ત સ્વતંત્રતા દિવસ અથવા શહીદ દિવસ પર જ યાદ કરવામાં આવે છે, પરંતુ તેઓ હંમેશા તેમની યાદોને પોતાની સાથે રાખે છે. તેઓ આ ટ્રેન્ડ ચાલુ રાખવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *