ગીરગઢડામાં જાતી જિંદગીએ ટ્રેન સામે પડતું મૂકી જીવન ટુકાવ્યું- ચારેબાજુ શરીરના કટકે કટકા જોઈ લોકો હચમચી ઉઠયા

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. એવામાં હાલ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. વેરાવળ-દેલવાડાની મીટરગેજ લોકલ ટ્રેન ઉના તરફ આવીં રહી…

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. એવામાં હાલ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. વેરાવળ-દેલવાડાની મીટરગેજ લોકલ ટ્રેન ઉના તરફ આવીં રહી હતી. આ દરમિયાન ગીરગઢડાના ઉમેદપરા ગામ નજીક એક વૃદ્ધે આપઘાત કરી મોત વ્હાલું કર્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો પણ હચમચી ઉઠ્યા હતા.

મળતી માહિતી અનુસાર, જેઠાભાઈ નથુભાઈ પરમાર (ઉ.વ.64) ગીરગઢડા પોલીસ સ્ટેશન નજીક રહેતાં હતા. ત્યારે તેઓ ગીરગઢડાના ઉમેદપરા નજીક રેલવે પાટા પાસે ઊભા હતા. આ દરમિયાન ટ્રેન આવતાં જ વૃદ્ધે ટ્રેન સામે કુદકો મારી આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. જેમાં જેઠાભાઈના ટ્રેન હેઠળ બંને પગ કપાઈ ગયા હતા. જેથી ઘટનાસ્થળે જ વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ વૃદ્ધના બેગમાંથી મૃતકનું આધારકાર્ડ તેમજ અન્ય આધાર પુરાવાના આધારે ચકાસણી કરી હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. 64 વર્ષીય વૃદ્ધે શા માટે આવું કર્યું તે અંગે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *