મુલાયમ સિંહ યાદવનું અવસાન- 82 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

Mulayam Singh Yadav Death News: ઉત્તર પ્રદેશ(UP)ના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ(Mulayam Singh Yadav)નું અવસાન થયું છે. તેમણે ગુરુગ્રામ(Gurugram)ની મેદાંતા હોસ્પિટલ(Medanta…

Mulayam Singh Yadav Death News: ઉત્તર પ્રદેશ(UP)ના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ(Mulayam Singh Yadav)નું અવસાન થયું છે. તેમણે ગુરુગ્રામ(Gurugram)ની મેદાંતા હોસ્પિટલ(Medanta Hospital)માં આજે સવારે 8:16 વાગ્યે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવને શ્વાસ લેવામાં તકલીફ અને લો બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ 22 ઓગસ્ટના રોજ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જો કે તેમની તબિયતમાં સુધારો થતો ન હતો અને 1 ઓક્ટોબરની રાત્રે તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની એક પેનલ સારવાર કરી રહી હતી.

પત્ની સાધના ગુપ્તાનું જુલાઈમાં અવસાન થયું હતું
આ પહેલા મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તાનું આ વર્ષે જુલાઈમાં અવસાન થયું હતું. ફેફસામાં ઈન્ફેક્શનના કારણે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તેમનું મોત થયું હતું. સાધના મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની હતી. તેમની પ્રથમ પત્ની માલતી દેવીનું 2003માં નિધન થયું હતું. માલતી દેવી અખિલેશ યાદવના માતા હતા.

મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ થયો હતો. પાંચ ભાઈઓમાં મુલાયમ ત્રીજા નંબરે હતા. મુલાયમ સિંહે પોતાની કારકિર્દીની શરૂઆત કુસ્તીથી કરી હતી. તેઓ વ્યવસાયે શિક્ષક હતા. થોડો સમય ઇન્ટર કોલેજમાં ભણાવ્યો. પિતા તેને કુસ્તીબાજ બનાવવા માંગતા હતા. ત્યારબાદ પોતાના રાજકીય ગુરુ નાથુ સિંહને પ્રભાવિત કર્યા બાદ મુલાયમ સિંહ યાદવ જસવંતનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાંથી ઉતર્યા હતા. તેઓ 1982-1985 સુધી વિધાન પરિષદના સભ્ય હતા.

લોહિયા આંદોલનમાં સક્રિય ભાગ લેનાર મુલાયમ સિંહ યાદવે 4 ઓક્ટોબર, 1992ના રોજ સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી હતી. મુલાયમ સિંહ યાદવને રાજકીય ક્ષેત્રના કુસ્તીબાજ કહેવામાં આવતા હતા. તે હરીફોને પછાડવામાં માહિર હતા. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની રાજનીતિમાં તેમણે એવી ઉંચાઈ હાંસલ કરી જે કોઈપણ નેતા માટે સપનું હોય છે. તેમણે ત્રણ વખત રાજ્યની કમાન સંભાળી. તેઓ દેશના સંરક્ષણ પ્રધાન પણ બન્યા. તેઓ આઠ વખત ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય હતા.

મુલાયમ સિંહ યાદવની રાજકીય કારકિર્દી પર એક નજર:
1967માં મુલાયમ સિંહ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. આ પછી, 5 ડિસેમ્બર 1989 ના રોજ, તેઓ પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. મુલાયમે પોતાના રાજકીય પ્રચારની શરૂઆત જસવંતનગર વિધાનસભા બેઠક પરથી કરી હતી. તેઓ સમાજવાદી પક્ષ, પ્રજા સમાજવાદી પક્ષ સાથે આગળ વધ્યા. તેઓ 1967, 1974, 1977, 1985, 1989માં વિધાનસભાના સભ્ય હતા. મુલાયમ સિંહ 1989, 1993 અને 2003માં યુપીના સીએમ હતા. તેઓ લોકસભાના સભ્ય પણ હતા.

તેઓ 1996ની ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. આ પછી તે 1998માં જીત્યા હતા. 1999ની ચૂંટણીમાં પણ તેમની જીતનો દોર જારી રહ્યો હતો. 2004માં તેઓ મૈનપુરીથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. 2014માં તેઓ આઝમગઢ સંસદીય બેઠક અને મૈનપુરીથી ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠકો પરથી જીત્યા હતા. આ પીઢ સપા નેતાની જીતનો સિલસિલો 2019ની ચૂંટણીમાં પણ ચાલુ રહ્યો અને મૈનપુરીથી જીતીને ફરી એકવાર સંસદમાં પહોંચ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *