કોરોના મૃતકોના પરિવારજનોને વળતર ન આપનાર રાજ્યોને સુપ્રીમ કોર્ટની ફટકાર- જાણો શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે(Supreme Court) આદેશ આપ્યો હતો કે કોરોના(Corona)ના કારણે મૃત્યુના કિસ્સામાં તમામ પરિવારોને ઓછામાં ઓછા 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવે. સાથોસાથ બાળકો માટે વિશેષ…

સુપ્રીમ કોર્ટે(Supreme Court) આદેશ આપ્યો હતો કે કોરોના(Corona)ના કારણે મૃત્યુના કિસ્સામાં તમામ પરિવારોને ઓછામાં ઓછા 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવે. સાથોસાથ બાળકો માટે વિશેષ યોજના લાવવી જોઈએ. તમામ રાજ્ય સરકારે તેમનો ડેટા અને અન્ય માહિતી વેબસાઈટ પર અપલોડ કરવી જોઈએ. આજે યોજાયેલી સુનાવણીમાં જાણવા મળ્યું હતું કે મોટાભાગની સરકારો સુપ્રીમ કોર્ટના આદેશનો યોગ્ય રીતે અમલ કરી રહી નથી. આથી આજે કોર્ટે આંધ્રપ્રદેશ(Andhra Pradesh) અને બિહાર(Bihar)ના મુખ્ય સચિવોને સમન્સ પાઠવીને ઉગ્ર ઠપકો આપ્યો હતો.

આખરે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો માટે વિગતવાર આદેશ પસાર કર્યો. આંકડાઓ અનુસાર, દેશભરમાં લગભગ 10 હજાર એવા બાળકો છે જેમણે કોરોનાને કારણે તેમના માતાપિતા બંને ગુમાવ્યા છે. લગભગ 1 લાખ 37 હજાર એવા બાળકો છે જેમણે પોતાના માતા અને પિતામાંથી એકને ગુમાવ્યું છે. આજે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે તમામ સંબંધિત રાજ્ય સરકારો તે બાળકો સુધી પહોંચે અને તેમને વળતર આપે. બાળકો સુધી પહોંચવાની અને તેમને મદદ કરવાની જવાબદારી અધિકારીઓની રહેશે. તમામ રાજ્ય સરકારોએ બે સપ્તાહમાં આ અંગેનો સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સુપરત કરવાનો રહેશે.

આ સિવાય સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર ન ચૂકવવા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે ખાસ કરીને બિહાર અને આંધ્રપ્રદેશના મુખ્ય સચિવોને સમન્સ પાઠવ્યા હતા અને ઠપકો આપ્યો હતો. બિહારે માત્ર 13250 મૃત્યુનો આંકડો આપ્યો છે. જેમાંથી માત્ર 11 હજારને જ વળતર મળ્યું છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે આટલા ઓછા મૃત્યુ કેવી રીતે થઈ શકે? સરકાર અસરગ્રસ્તો સુધી પહોંચી શકી નથી.

એ જ રીતે આંધ્ર પ્રદેશે વળતર માટેની 14 હજાર અરજીઓ પર કોઈ કાર્યવાહી કરી નથી. સુપ્રીમ કોર્ટે આજે આદેશ આપ્યો છે કે બંને સરકારોએ તેમના આંકડા અને કામ કરવાની રીતમાં સુધારો કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે એ પણ અવલોકન કર્યું કે ઘણા રાજ્યોએ મોટી સંખ્યામાં અરજીઓ ફગાવી દીધી છે. ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્રે 49 હજાર, તમિલનાડુએ 10 હજાર, તેલંગાણાએ 1 હજાર અને ગુજરાતે 4234 અરજીઓ ફગાવી છે.

આજે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે તમામ સરકારોએ જણાવવું પડશે કે જો અરજી ફગાવી દેવામાં આવે છે તો તેનું કારણ શું હતું. ટેકનિકલ કારણોસર કોઈપણ અરજી નામંજૂર કરવામાં આવશે નહીં. અરજીમાંની ભૂલો સુધારવાની જવાબદારી સરકારની છે. હવે તમામ રાજ્ય સરકારોએ કોરોનાના કારણે થયેલા મૃત્યુ અને તેના માટે આપવામાં આવેલ તમામ ડેટા રાજ્યની લીગલ સર્વિસ ઓથોરિટી સાથે શેર કરવાના રહેશે. તેનાથી પારદર્શિતા જળવાઈ રહેશે. આ આદેશ બાદ તમામ રાજ્ય સરકારોએ બે સપ્તાહમાં સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવો પડશે. કેસની આગામી સુનાવણી 4 ફેબ્રુઆરીએ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *