જો મકાન માલિક ભાડું અંગે માથાકુટ કરતા હોય તો કરો અહિયાં ફોન, થઇ જશે સમાધાન. જાણો વિગતે

કોરોના વાયરસના ભયંકર વાતાવરણને કારણે સમગ્ર ભારત દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. અને કોરોનાના કેસમાં વધારો ન થાય તે માટે દરેક…

કોરોના વાયરસના ભયંકર વાતાવરણને કારણે સમગ્ર ભારત દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. અને કોરોનાના કેસમાં વધારો ન થાય તે માટે દરેક રાજ્ય સરકાર દ્વારા તમામ ટ્રાન્સપોર્ટની સુવિધાઓ બંધ કરવામાં આવી છે. 21 દિવસનું લોકડાઉન જાહેર થતાં કેટલાક લોકો પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે. લોકોને વાહન ન મળતાં તેઓ પગપાળા વતનની વાટ પકડી રહ્યા છે.

સુરત પોલીસ કમિશનર R.B. બ્રહ્મભટ્ટે જણાવતા કહ્યું હતું કે, “જે લોકો જ્યાં છે ત્યાં જ રહેશે તો સલામત રહેશે. લોકો એક જ સ્થળ પર રહેશે તો કોરોના સંક્રમણથી બચવાની સંભાવનાઓ વધારે રહેશે. આ ઉપરાંત જો મકાન માલિક ભાડુઆતને ભાડા બાબતે તકલીફ કરતા હોય તો ભાડુઆત પોલીસ કંટ્રોલરૂમમાં આ બાબતે જણાવી શકે છે અને પોલીસ તેમની સમસ્યાનું નિરાકરણ લાવી આપશે અને મકાન માલિકની સાથે વાતચીત કરીને તેમને સમજાવવામાં આવશે.”

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં માનવતાને શર્મસાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં મકાન માલિકોએ તેમના મકાનમાં રહેતા એક ડૉક્ટર અને નર્સને મકાન ખાલી કરાવવા માટે કહ્યું હતું. ડૉક્ટર અને નર્સ બહાર જતા હોવાથી કોરોનાનાં ડરના કારણે મકાન માલિકે મકાન ખાલી કરવા માટે કહ્યું હતું. આ બાબત જિલ્લા કલેક્ટરને જાણવા મળતા તેઓએ તાત્કાલિક સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે હવે મકાન માલિકના કારણે હિજરત કરતા લોકોને સુરત પોલીસ કમિશનરના નિર્ણયથી હિજરત કરવાનો વારો આવશે નહીં અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.

આ વિડીયો તદ્દન ખોટો છે- જો ફોનમાં હોય તો ડીલીટ કરી દેજો- કોરોનાથી ડરોના

આ વિડીયો તદ્દન ખોટો છે- જો ફોનમાં હોય તો ડીલીટ કરી દેજો- કોરોનાથી ડરોના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *