40 ફૂટ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત, જાણો કયાની છે ઘટના

ભરુચ(ગુજરાત): અંકલેશ્વર શહેરથી ગડખોલ તરફ જતા માર્ગ પર સુરવાડી ગામ પાટિયા પર 40 ફૂટ ઉપરથી એક યુવક કુદીને આત્મહત્યા કરી હતી. બ્રિજ નીચે સદભાવ સોસાયટીમાં…

ભરુચ(ગુજરાત): અંકલેશ્વર શહેરથી ગડખોલ તરફ જતા માર્ગ પર સુરવાડી ગામ પાટિયા પર 40 ફૂટ ઉપરથી એક યુવક કુદીને આત્મહત્યા કરી હતી. બ્રિજ નીચે સદભાવ સોસાયટીમાં રહેતો અંદાજે 18 વર્ષનો હની નામનો યુવાન પટકાયો હતો. 40 ફૂટ ઉપરથી નીચે પડતાં જ તેનું મોત થયું હતું. ઘટના બાદ થોડાક જ સમયમાં લોક ભેગા થઇ ગયા હતા.

જે સ્થળે થી યુવાન પટકાયો હતો ત્યાં જ બ્રિજ પર મોટરસાયકલ આડી પડી હતી. જયારે બ્રિજના સાઈડ ડિવાઈડર પર હેલ્મેટ મળ્યું હતું. જે જોતા યુવક બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવી શકાય છે. ત્યારે પોલીસ એ જાની રહી છે કે, ખરેખર યુવાન એક્સિડન્ટ થયું છે કે પછી આપઘાત કર્યો છે.

આ વચ્ચે ઘટનાની જાણ શહેર પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અને મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલ મોકલવા માટેની  તપાસ શરુ કરી છે. મળતી માહિતી અનુસાર, પહેલા આજ સ્થળે બ્રિજના શરૂ થયાના 10 માં દિવસે સાંજના સમયે 8 મહિનાનું બાળક ઉપરથી પડતા તેનું મોત થયું હતું.

જયારે પિતા બાઈક પર કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે ભટકાયા હતો. તેને કારણે બાળક ઉછળીને નીચે પડી હતી. ત્યારે હવે ગડખોલ ટી બ્રિજ પર ડિવાઈડર પર 5 થી 6 ફૂટ ઉંચી લોખંડની જાળીઓ નાખવાની જરૂરિયાત ઉભી થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *