આ ત્રણ કંપનીઓમાં રોકાણ કરનારા રાતોરાત બન્યા કરોડપતિ- એક લાખના સીધા બે કરોડ થયા

રોકાણકારો(Investors) શેરબજાર (Stock market)માં નાણાંનું રોકાણ કરીને કરોડપતિ પણ બની શકે છે. પરંતુ તેમાં ધીરજ રાખવી ખુબ જ જરૂરી છે. ત્યારે આજે અમે તમને એવા…

રોકાણકારો(Investors) શેરબજાર (Stock market)માં નાણાંનું રોકાણ કરીને કરોડપતિ પણ બની શકે છે. પરંતુ તેમાં ધીરજ રાખવી ખુબ જ જરૂરી છે. ત્યારે આજે અમે તમને એવા ત્રણ ક્વોલિટી સ્ટોક્સ વિશે જણાવી રહ્યા છીએ, જેણે લાંબા સમય સુધી તેમના રોકાણકારોને સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું છે. આ ત્રણ શેરો ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ(Godrej Consumer Products), ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ(Triveni Engineering & Industries) અને ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(Transport Corporation of India) છે.

1 લાખનું રોકાણ 2 કરોડ રૂપિયાનું થઈ ગયું:
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના શેરની કિંમત 22 જૂન, 2001ના રોજ 4.10 થી વધીને આજે 5 ઓગસ્ટ, 2022ના રોજ બપોરે 3:30 વાગ્યે ₹874.00 થઈ ગઈ છે. એટલે કે, તે આ સમયગાળા દરમિયાન 21,217.07 ટકાનું મલ્ટિબેગર રિટર્ન ધરાવે છે.

તે જ સમયે, ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ 5 જુલાઈ, 2002ના રોજ ₹0.73થી વધીને 5 ઓગસ્ટ, 2022ના રોજ ₹226 થયો હતો. આ સમયગાળા દરમિયાન, ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના શેરે તેના શેરધારકોને લગભગ 30,858.90% નું મલ્ટિબેગર વળતર આપ્યું છે.

ત્યારે બીજી તરફ, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેરની કિંમત જે 24મી જાન્યુઆરી, 2002ના રોજ ₹2.50 હતી તે હવે 5મી ઓગસ્ટ, 2022ના રોજ વધીને ₹725.00 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન આ શેરે લગભગ 28,900.00 ટકાનું મલ્ટિબેગર વળતર આપ્યું છે. એટલે કે, 20 વર્ષ પહેલાં આમાંના કોઈપણ ક્વોલિટી સ્ટોકમાં કરવામાં આવેલ ₹1 લાખનું રોકાણ આજે 2 કરોડથી વધુ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *