પહેલા કોરોના અને હવે સેંકડો માછલાઓના મોત- ઓક્સીજન ઘટના સાબરમતી નદીમાં…

ગુજરાતના સાબરમતી નદીમાં દૂષિત પાણી નાખવાને કારણે હજારો માછલીઓના મોત થયા છે. એએમસીએ દાવો કર્યો છે કે, વાતાવરણમાં હ્યુમિડિટી વધતા પાણીમાંથી ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઇ…

ગુજરાતના સાબરમતી નદીમાં દૂષિત પાણી નાખવાને કારણે હજારો માછલીઓના મોત થયા છે. એએમસીએ દાવો કર્યો છે કે, વાતાવરણમાં હ્યુમિડિટી વધતા પાણીમાંથી ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઇ છે અને તેના કારણે માછલીઓ મરવાની ઘટના બનતી હોય છે. હ્યુમિડિટીથી માછલીઓ મરવીએ એક રૂટિન પ્રક્રિયા છે. મ્યુનીસીપલ અધિકારીઓ એવું માની રહ્યા છે કે, અચાનક વરસાદ આવતા માછલાઓ શોકના કારણે પણ મૃત્યુ થયા છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સાબરમતીમાં એક પણ ડ્રેનેજ લાઈનમાંથી પાણી છોડવામાં આવ્યું નથી. એટલે ત્યાં પ્રદૂષિત પાણીનો પ્રશ્ન ઉઠતો નથી. સાબરમતી નદીમાંથી પાણીના સેમ્પલ લઇ તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો અગાઉ પૂર્વ વિસ્તારના તળાવમાં એક સાથે હજારો માછલીઓ મરવાની ગંભીર ઘટના જોવા મળી હતી. આ માછલીઓના મોત પાછળ તળાવના પાણીમાં ઓક્સિજન લેવલ ઘટી જવાનું અથવા તો ગટરના પાણી ભળી જવાનું સામે આવી રહ્યું હતું. કેટલાય સમયથી લાંભા ગામમાં ગટરના પાણી ગેરકાયદેસર તળાવમાં ભેળવી દેવામાં આવતા હતા. જેને કારણે માછલીઓના મોત થયા છે. માછલીઓના મોતથી આસપાસના વિસ્તારમાં  અસહ્ય દુર્ગન્ધ ફેલાઈ છે જેથી સ્થાનક લોકો ત્રાસી ઉઠ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *