પાટણમાં અજાણ્યા વાહને રિક્ષા અને પદયાત્રીઓને અડફેટે લેતા એકસાથે 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત – ‘ઓમ શાંતિ’

પાટણ(Patan): અકસ્માત (accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. પાટણ જિલ્લાના શંખેશ્વર(Shankeshwar) તાલુકાના પંચાસર(Panchasar)…

પાટણ(Patan): અકસ્માત (accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. પાટણ જિલ્લાના શંખેશ્વર(Shankeshwar) તાલુકાના પંચાસર(Panchasar) ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો છે. અહીં એક અજાણ્યા વાહન ચાલકે રિક્ષા અને પદયાત્રીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર બે લોકો અને એક પદયાત્રીનું મોત થયું છે.

મળતી માહિતી અનુસાર, પદયાત્રીઓ ચાલીને રાધનપુરથી ચોટીલા જઈ રહ્યા હતા. આ દરમિયાન પંચાસર ગામ નજીક અજાણ્યા વાહન ચાલક તેમને ટક્કર મારી હતી. ટક્કર બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જયારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થાય હતા.

ત્યારબાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર બાદ પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતની ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જાણવા મળ્યું છે કે, મોડી રાત્રે આ અકસ્માત બન્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા વાહન ચાલકની શોધખોળ આદરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *