એકલવાયું જીવન ગુજરાતી મહિલાએ ચોથા માળેથી પડતું મુક્યું… સુસાઇડ નોટમાં થયા મોટા ઘટસ્ફોટ

આપઘાતની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, અમરેલી (Amreli)નાં લાઠી(Lathi) રોડ પર મહિલાના આપઘાતનો મામલે પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી છે. ગોકુલધામ એપાર્ટમેન્ટ (Gokuldham Apartment)ના ચોથા માળેથી મહિલાએ પડતુ મૂક્યુ હતું. જેમાં પોલીસે ઘરની તપાસ કરતા સ્યુસાઇડ નોટ મળી આવી. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. 3 લોકોના ત્રાસથી મોતને વ્હાલુ કર્યુ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જેને પગલે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘરમાંથી મળી આવી સુસાઇડ નોટ:
મળતી માહિતી અનુસાર, ગોકુલધામ એપાર્ટમેન્ટમાં રહેતી ગીતા બોદર નામની વ્યક્તિએ ચોથા માળેથી પડતું મુકીને મોતને વ્હાલુ કર્યું હતું. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશને પીએમ માટે ખસેડી હતી. ત્યારબાદ આ મામલે પોલીસે તપાસ કરતા ઘરમાથી સુસાઇડ નોટ મળી આવી હતી.

જેમાં એક પોલીસકર્મી સહિત ત્રણ વ્યક્તિના ત્રાસના કારણે પોતે આપઘાત કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં એક પોલીસ કર્મી મોરી, સહિત પ્રિયંકા જોષી, અને રાજદીપ વાળાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કરસન બોદરનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, તેણે મને આર્થિક તેમજ માનસિક ત્રાસ આપ્યો છે.

પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ:
હાલમાં પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરીને આરોપીને શોધવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે. આપઘાત કરતા પહેલા ગીતા બોદરે અમરેલી પોલીસના મોરી અને રાજદીપ વાળા તથા પ્રિયંકા જોશીના નામનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત કરશન બોદરનો પણ ઉલ્લેખ કરીને આ ચારેય લોકોને તેના મોત પાછળ જવાબદાર ઠેરવ્યા છે. આ લોકો મારી પાછળ હાથ ધોઇને પડી ગયા હોવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *